નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આગામી 21 ડિસેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ગુજરાત આવીને સ્ટેસ્યુ ઓફ યુનિટી મુલાકાત કરશે અને ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજર રહેશે. જેને લઈને 21 ડીસેમ્બરે સામાન્ય જનતા માટે સ્ટેસ્યુ ઓફ યુનિટીની મુલાકાત સવારે 11 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
મહત્વનું છે કે ડીજી કોન્ફરન્સનું આયોજન કેવડિયા કોલોની ખાતે કરીને મોદી સરકાર એક પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર સમગ્ર દેશમાં થાય તેવા પ્રયાસો કરી રહી છે.
જોકે મળતી માહિતી અનુસાર DG કોન્ફરન્સના કારણે 20થી 22 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહે તેવી સંભાવનાઓ છે.
મહત્વનું છે કે પીએમ મોદીની મુલાકાત અને ડીજી કોન્ફરન્સને લઇને દેશની સુરક્ષા પાંખના ત્રણેય દળોના મુખ્ય અધિકારી હાજર રહેશે. તમામ રાજ્યોના ગૃહ પ્રધાનનો ડીજીપી આઇબી સીઆઇડી સીબીઆઇ અને એટીએસ સહીતની તમામ સુરક્ષા એજન્સીઓના વડા ઉપસ્થિત રહેશે.
હાલ 5000થી વધુ પોલીસ જવાનોને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે અત્યારે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.