આજે PM મોદી આસામની મુલાકાતે છે. ત્યારે અહીં તેઓ 7 નવી કેન્સર હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે તેમજ રેલીને પણ સંબોધશે.
PM નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે
સાત નવી કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કરશે
500 કરોડની રકમના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
PM મોદી આજે આસામની મુલાકાત લેશે અને કાર્બી આંગલોંગ જિલ્લાના દીફુ ખાતે 'શાંતિ, સંવાદિતા અને વિકાસ' રેલીને સંબોધશે. તેઓ શિક્ષણ ક્ષેત્રે રૂ. 500 કરોડની રકમના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. વધુમાં વડાપ્રધાન મોદી 6 કેન્સર હોસ્પિટલો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે અને સાત નવી કેન્સર હોસ્પિટલોનો પણ શિલાન્યાસ કરશે. PM મોદી લગભગ 1:45 કલાકે આસામ મેડિકલ કોલેજ ડિબ્રુગઢ પહોંચશે કે જ્યાં તેઓ ડિબ્રુગઢ કેન્સર હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. બાદમાં, લગભગ 3 વાગ્યે વડાપ્રધાન ડિબ્રુગઢના ખાનિકર મેદાનમાં આયોજિત જાહેર સમારોહમાં હાજરી આપશે.
Assam | PM Narendra Modi will visit Assam on April 28th, his first program will be in Diphu and after that, he will inaugurate 7 new cancer hospitals in Dibrugarh. This is a huge investment of Rs 4,000 crore: Assam CM Himanta Biswa Sarma, in Dibrugarh pic.twitter.com/rOLAHJizES
તાજેતરમાં જ ભારત સરકાર અને આસામ સરકારે છ કાર્બી ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ કરાર (MoS) પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી પશુ ચિકિત્સા મહાવિદ્યાલય (દીફૂ), ડિગ્રી કોલેજ (પશ્ચિમ કાર્બી આંગલોંગ) અને એગ્રીકલ્ચર કોલેજ (કોલોંગા, પશ્ચિમ કાર્બી આંગલોંગ) નો શિલાન્યાસ પણ કરશે. રૂ. 500 કરોડથી વધુના ખર્ચની આ પરિયોજનાઓ પ્રદેશમાં કૌશલ્ય વિકાસ અને રોજગારની નવી તકો ઊભી કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી 2950 થી વધારે અમૃત સરોવર પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. આ રાજ્ય લગભગ 1150 કરોડ રૂપિયાના કુલ ખર્ચે આ અમૃત સરોવરોનો વિકાસ કરશે.
આસામ કેન્સર કેર ફાઉન્ડેશન કે જે આસામ સરકાર અને ટાટા ટ્રસ્ટ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. સમગ્ર રાજ્યમાં ફેલાયેલી 17 કેન્સર કેર હોસ્પિટલો સાથે દક્ષિણ એશિયાનું સૌથી મોટું સસ્તું કેન્સર કેર નેટવર્ક બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યું છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ 10 હોસ્પિટલોમાંથી સાત હોસ્પિટલોનું બાંધકામ પૂર્ણ થયું છે, જ્યારે ત્રણ હોસ્પિટલો બાંધકામના વિવિધ તબક્કામાં છે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં સાત નવી કેન્સર હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવશે.