પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આગ્રા મેટ્રો રેલ પરિયોજનાનું વર્ચ્યુઅલ દ્વારા ઉધ્ધાનટ કરશે. બે કોરિડોરવાળા આ પ્રોજેક્ટ દ્વારા પ્રવાસીઓને ઘણી રાહત મળશે. આ પરિયોજના દ્વારા ટૂરિસ્ટ સ્પોટ જેમ કે તાજમહેલ, આગરા ફોર્ટ, સિકંદરાને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટના માધ્યમથી જાણકારી આપતા કહ્યું કે તેઓ કાલે (સોમવારે) બપોરે 12 વાગે આગ્રા મેટ્રો રેલ પરિયોજનાનું ઉધ્ધાટન કરશે. જેનાથી આગ્રાના લોકોના જીવનમાં વધારે સુલભતા આવશે અને પ્રવાસી સ્થળ તરીકે આગ્રાને લાભ મળશે.
At 12 noon tomorrow, 7th December, construction work of the Agra Metro Project will commence. This project is spread across two corridors and will boost ‘Ease of Living’ for the people of Agra as well as benefit tourists who visit this vibrant city. https://t.co/ifMl23WqVY
આગ્રાના 15 બટાલિયન PAC પરેડ મેદાનમાં ઉધ્ધાટનના ક્રાયક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ તેમજ શહેરી કાર્યમંત્રી હરદીપ સિંહ પુરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્ર સરકારની આ પરિયોજનાથી આગ્રાની 26 લાખની જનસંખ્યાની સાથે-સાથે દર વર્ષે 60 લાખથી વધારે આવતા પ્રવાસીઓને પણ ફાયદો થશે. આ પરિયોજના પાછળ અંદાજે 8,379.62 કરોડ રૂપિયા ખર્ચ થશે. 5 વર્ષમાં પુરી થનારી આ પરિયોજનાથી આગ્રામાં અંદાજે 29 કિલોમીટરના વર્તુળમાં મેટ્રો રેલની સેવા મળશે.
આ પરિયોજનાના પહેલા તબક્કામાં તાજ ઇસ્ટ ગેટ કોરિડોર તૈયાર કરવામાં આશે. જો કે એવી શક્યતા છે કે પ્રથમ તબક્કામાં 2002ના ડિસેમ્બર સુધીમાં સિંકદરાથી તાજ ઇસ્ટ ગેટ સુધી મેટ્રો સેવા શરુ કરી દેવામાં આવશે. તાજ ઇસ્ટથી જામા મસ્જિદ સુધી 6 કિલોમીટર સુધી પ્રાથમિક સેકશન સૌથી તૈયાર કરવામાં આવશે.