રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમ આવતીકાલે ભવ્યાતિભવ્ય રીતે યોજાવાનો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શિલાન્યાસ થવા જઇ રહ્યો છે તે પહેલા બુધવારે તેઓ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ પહેલાં, ભૂમિપૂજનનો મોટો કાર્યક્રમ અહીં કરવામાં આવી રહ્યો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ માટે અયોધ્યા આવી રહ્યા છે. પીએમ મંદિરના નિર્માણ માટે પાયાની ઇંટ રાખશે.
નોંધનીય છે કે,આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં કુલ ત્રણ કલાક સમય વિતાવશે. આ પહેલા સોમવારે અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પૂજારી વતી કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી જન્મભૂમિ તરફ જતાં પહેલા પૂજા કરવા હનુમાનગઢી જશે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનના આશીર્વાદ વિના ભગવાનનું કોઈ કાર્ય શરૂ થશે નહીં, પીએમ મોદી સૌ પ્રથમ ભગવાન હનુમાનની પૂજા કરીને આશીર્વાદ લેશે, ત્યારબાદ તેઓ ભૂમિપૂજન માટે જશે. ત્યારે શું છે પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ જાણો વિગતવાર...
5 ઓગસ્ટના રોજ પીએમ મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આ દરમિયાન પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનુ વૃક્ષ રોપશે. જાણો પારિજાતના વૃક્ષનું શુ છે મહત્વ અને ખાસિયત કે તે આ ભૂમિ પુજનનો ભાગ બનવા જઈ રહ્યું છે.
પારિજાતનું વૃક્ષ ખૂબ સુંદર હોય છે. જેના ફુલો ભગવાન હરિના શૃંગાર અને પૂજનમાં વપરાય છે આથી આ ફુલોને હરિસિંગાર પણ કહેવાય છે. હિંદુ ધર્મમાં તેનું ખૂબ મહત્વ છે તેને અડવા માત્રથી થાક દુર થઈ જાય છે.
આ વૃક્ષની ઉંચાઈ 10થી 25 ફુટ હોય છે. આની ખાસિયત એ છે કે વૃક્ષ પર મોટા જથ્થામાં ફુલો આવે છે. અઢળક ફુલો તોડ્યા બાદ પણ બીજા દિવસે પણ મોટા જથ્થામાં ફુલો ઉગે છે. આ વૃક્ષ મધ્ય ભારત અને હિમાલયની તળેટીમાં વધારે ઉગે છે.