બિજાપુરઃ PM મોદી આજે છત્તીસગઢના બિજાપુર પહોંચ્યા છે. ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે તેઓએ આયુષ્યમાન ભારત સહીતની અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું. આ નિમિત્તે પીએમ મોદીએ એક આદિવાસી મહિલાને ચપ્પલ આપ્યા અને પહેરાવ્યા હતા. સભામાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું કે 14 એપ્રિલનો આજને દિવસ દેશના સવા સો કરોડ લોકો માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
આજે ભારતરત્ન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી છે. આજના દિવસે આપ સૌના આશિર્વાદ લેવાનો અવસર મળ્યો મારા માટે ખુબજ સૌભાગ્યની વાત છે. આ સાથે પીએમ મોદીએ સભામાં હાજર લોકો સાથે હાથ ઉઠાવીને જય ભીમના નારા લગાવ્યા હતા.
Today I took a ride on the e-rickshaw of Savita Sahu Ji. She told me that she lost her husband in violence by Naxals and then she choosed the path of empowerment. The government helped her and now she is living a life of dignity: PM Narendra Modi in Bijapur pic.twitter.com/uEEmjRhYk8
વધુમાં PM મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરના કારણે જ હું PM બન્યો છું. અતિપછાત વર્ગમાંથી આવનારો વ્યક્તિ આજે PM છે. બાબા સાહેબે દલિતો માટે જીવન સમર્પિત કરી દીધું. દલિત અને આદીવાસીઓને અઘિકાર અપાવવામાં બાબા સાહેબનું યોગદાન મહત્વનું છે. હાલ દેશમાં 100થી પણ વધુ જિલ્લાઓ વિકાસની દોડમાં પાછળ છે. અસશક્ત અને પછાતને પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને તેઓને અવસર આપવો એ અમારી પ્રાથમિકતા છે. નવા લક્ષ્ય માટે નવી રીતે કામ કરવું પણ જરૂરી છે.
બિજાપુરમાં PM મોદીનું નિવેદન
બાબા આંબેડકરને કારણે હું PM બન્યોઃ PM
અતિપછાત વર્ગમાંથી આવનારો વ્યક્તિ આજે PM છેઃ PM
બાબા સાહેબે દલિતો માટે જીવન સમર્પીત કરી દીધુઃ PM
બાબા સાહેબે દલિત-આદિવાસીઓને આધિકાર આપ્યાઃ PM
100થી વધુ જિલ્લાઓ વિકાસની દોડમાં પાછળઃ PM મોદી
નવા લક્ષ્ય માટે નવી રીતે કામ કરવું જરૂરીઃ PM
અશસક્ત અને પછાતને પ્રોત્સાહનની જરૂરઃ PM
અશસક્ત અને પછાતોને અવસર આપવાની અમારી પ્રાથમિકતાઃ PM
#WATCH PM Narendra Modi at launch of India's first wellness centre under Ayushman Bharat in Chhattisgarh's Bijapur https://t.co/OC6HrnxBsP