હેલિકોપ્ટર ક્રેશના શહીદોના પાર્થિવ શરીર દિલ્હી લવાઈ રહ્યાં છે તથા પ્રધાનમંત્રી મોદી પાલમ એરપોર્ટ જઈને શહીદોને શ્રદ્ધાજંલિ આપશે.
હેલિકોપ્ટર ક્રેશના શહીદોના પાર્થિવ શરીર દિલ્હી લવાઈ રહ્યાં છે
PM મોદી- રાજનાથ પાલમ એરપોર્ટ આપશે શ્રદ્ધાંજલિ
કન્નુર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત સહિત 11 જવાનો શહીદ થયા હતા
તમિલનાડુમાં ગઈકાલે કુન્નુરમાં થયેલા ગમખ્વાર હેલિકોપ્ટર અકસ્માતમાં સીડીએસ બિપિન રાવત અને તેની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા. આજે તેમના મૃતદેહને દિલ્હી લાવવામાં આવી રહ્યાં છે. તમામ 13 મૃતદેહોને સુપર હરક્યુલિસ પરિવહન વિમાન સી-130જેમાં સુલુરથી દિલ્હી લવાઈ રહ્યાં છે. એર ચીફ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે.
#WATCH | Tamil Nadu: Locals shower flower petals as ambulances carrying the mortal remains of CDS Bipin Rawat, his wife and other personnel who died in the Coonoor Helicopter Crash, leave for Sulur airbase from Madras Regimental Centre in Nilgiris district pic.twitter.com/dWhw9kG3l9
પીએમ મોદી,રાજનાથ અને ડોભાલ પાલમ એરપોર્ટ જઈને શ્રદ્ધાજંલિ આપશે
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને એનએસએ અજીત ડોભાલ આજે સાંજે પાલમ એરપોર્ટ પર સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 કર્મચારીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપશે.
Tamil Nadu | Vehicles carrying mortal remains of CDS Bipin Rawat, his wife and other personnel who died in the Coonoor chopper crash, leave for Sulur airbase from Madras Regimental Centre in Nilgiris district
મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં અપાઈ શ્રદ્ધાંજલિ
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મુધુલિયા રાવત અને 11 લશ્કરી કર્મીઓ તથા અધિકારીઓ શહીદ થયા હતા. ઘટના બાદ મૃતકોના શબ વેલિંગ્ટન મિલિટરી હોસ્પિટલ લઈ જવાયા હતા. ગુરુવારે સવારે આ મૃતદેહોને પૂરા લશ્કરી સન્માન સાથે મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર લવાયા હતા. રેજિમેન્ટલ સેન્યરમાં શ્રદ્ધાંજલિ સભા બાદ આ પાર્થિવ શરીરોને દિલ્હી મોકલાઈ રહ્યાં છે.