ખાદી ભારતના સમૃદ્ધ વારસા અને સ્વતંત્રતાનું પ્રતીક પણ છે. ત્યારે આજે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
PM મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે
PM મોદી ખાદી મહોત્સવમાં આપી હાજરી
7500 મહિલાઓ અને પુરૂષો એક સાથે ચરખો કાંત્યો
PM મોદીએ ખાદીને પ્રોત્સાહન મળે એ માટે અનેક વખત જાહેર મંચો પરથી આહવાન કર્યું છે તો અનેકવિધ પગલાંઓ પણ લીધા છે સાથે સાથે Khadi for fashion, Khadi for nation and khadi for transformationનું સૂત્ર આપ્યું છે. ત્યારે આજથી પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદી ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાંથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર જ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી. બાદમાં તેઓ ખાદી મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ખાદી મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીએ રેટિંયો કાંતી રહેલી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. તો બાદમાં પોતે પણ ચરખો કાંત્યો હતો.
PM મોદીએ આપેલા આઝાદી કા અમૃત મહોત્સવના આહવાન હેઠળ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન નિર્ણાયક બનેલી ખાદીની મહત્તાને દર્શાવવા અને ભાવાંજલિ આપવા આજે(27 ઓગસ્ટ 2022) ખાદી ઉત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કાર્યક્રમના સમાપન સત્રને PM મોદી દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું
આ ફૂટ ઓવરબ્રિજ કિનારાને જ નથી જોડતો પણ એક વિશેષતા છે: PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણ સમયે અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અટલજીને ખૂબ પ્રેમ આપ્યો. સાથે જ તેમણે જણાવ્યું કે, અટલજી 1996માં ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ ફૂટ ઓવરબ્રિજ માત્ર સાબરમતી નદીના કિનારાને જ નથી જોડતો પરંતુ બ્રિજની એક વિશેષતા પણ છે, તેની બનાવટમાં પતંગ મહોત્સવનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ખાદી મહોત્સવમાં મહિલાઓ સાથે કરી હળવી વાતચીત
પ્રધાનમંત્રી મોદીએ ખાદી મહોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે અહીં રેટિંયો કાંતવાની કામગીરીના નિરીક્ષણ કરતા સમયે મહિલાઓ સાથે વાતચીત કરી હતી.
7500 મહિલાઓ અને પુરૂષો એક સાથે ચરખો કાંત્યો
આ ખાદી ઉત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરોનું આવુ આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈકલર અંગવસ્ત્ર પહેરશે. કાર્યક્રમને લઈ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
પીએમ મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંતશે. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના કુટીર ઉદ્યોગપ્રધાન પણ સંબોધન આપશે.
મહિલા ખાદી કારીગરો ચરખાનું જીવંત નિદર્શન
KVIC મુજબ ખાદીના ઉત્પાદનમાં 172 ટકા વધારો થયો છે અને 2014થી ખાદીના વેચાણમાં 245 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં 1920ના દાયકાથી અત્યારસુધી ઉપયોગમાં લેવાતા ચરખાની વિવિધ પેઢીઓના 22 ચરખાને પ્રદર્શિત કરીને ચરખા ઉત્ક્રાંતિને પણ દર્શાવવામાં આવશે. આ ચરખા ઉત્ક્રાંતિમાં યરવડા ચરખાની સાથોસાથ બીજા અનેક ચરખાનો પણ સમાવેશ થશે. જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ચળવળથી લઈને આજના સમયમાં ઉપયોગમાં લેવાતી નવીનતમ ટેક્નોલોજી સાથેના ચરખાઓનું પ્રતિક બનશે. આ ચરખા ઉત્ક્રાંતિ પ્રદર્શનની પીએમ મોદી દ્વારા મુલાકાત લેવામાં આવશે અને સાથે જ પોન્ડુરુ ખાદીના ઉત્પાદનનું જીવંત નિદર્શન પણ કરવામાં આવશે.
ખાદી ઉત્સવમાં શું હશે વિશેષ આકર્ષણ?
અમદાવાદના સાબરમતી ખાતે યોજાશે કાર્યક્રમ
સુરેન્દ્રનગર,અમરેલી અને રાજકોટમાંથી મહિલા ખાદી કારીગરો જીવંત નિદર્શન કરશે
7 હજાર 500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત હશે
PM નરેન્દ્ર મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંતશે
લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ
પેઢીઓના 22 ચરખાને પ્રદર્શિત કરીને ચરખા ઉત્ક્રાંતિને પણ દર્શાવવામાં આવશે
પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે દિવસ ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ સહીતની વિસ્તારોની મુલાકાત કરી વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. વધુમાં મોદી આજે અમદાવાદમાં રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે. એ સિવાય અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. જ્યારે આવતીકાલે કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.