પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ પાસે 10 એવા ક્ષેત્રોની યાદી બનાવા જણાવ્યું કે જેના પર લોકડાઉન બાદ ફોક્સ કરી શકાય. Covid-19 કોરોનાના કારણે હાલમાં ચાલી રહેલા લોકડાઉન બાદ સૌથી પહેલા સરકાર ધ્યાન આપશે. વીડિયો કોન્ફરસ દ્વારા કેન્દ્રીય પ્રદાનો સાથે વાત કરતાં પીએમ મોદીએ મંત્રાલયોને એક બિઝનેસ કન્ટિન્યૂટિ પ્લાન (Business Continutiy Plan) બનાવા જણાવ્યું છે. આ દરમિયાન તેમણે દરેક વિભાગોને જણાવ્યું છે કે તેઓ ઇન્ડેક્સ પણ તૈયાર કરે કે કેવી રીતે તેમના કામથી 'મેક ઇન ઇન્ડિયા' ને આગળ વધારી શકાય.
PM મોદીએ લોકડાઉન પુરુ થયા પછીની બનાવી રણનીતિ
મંત્રીઓને 10 ક્ષેત્રોની યાદી બનાવી તૈયાર કરવા જણાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા દેશો પર આપણી નિર્ભરતાને ઓછી કરવા જણાવ્યું. સૌથી પહેલા ધીરે-ધીરે આ વિભાગો પર ફોક્સ કરવામાં આવે જે Covid-19 કોરોના માટે હોટસ્પોટ નથી. પીએમ મોદીએ કહ્યું આ સંકટ સમયે આપણને તક મળી છે કે આપણે મેડિકલ સેકટરમાં આત્મનિર્ભર બનીએ.
રાજ્ય અને જિલ્લા તંત્રના સતત સંપર્કમાં રહે પ્રધાનો
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા પ્રાપ્ત મળતી જાણકારી મુજબ પીએમ મોદીએ મંત્રીઓની આગેવાનીની પ્રશંસા કરી અને કહ્યું કે તેમના દ્વારા સતત ફીડબેક મળવાથી કોરોનાથી નિપટવા માટેની રણનીતિમાં મદદ મળી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે એ જરૂરી છે બધા મંત્રીઓ રાજ્યો અને જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં રહે.
કાળા બજારની ફરિયાદ પર તરક કરે કાર્યવાહી
પીએમ મોદીએ કહ્યું એ પણ ધ્યાન રાખવામાં આવે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સેન્ટર પર ભીડ જમા ન થાય અને સારી રીતે તેનું મોનિટરીંગ કરવામાં આવે. આ સાથે લોકો દ્વારા ફરિયાદ મળવા પર તરત કાર્યવાહી કરવામાં આવશે.
અર્થવ્યવસ્થા માટે ઝડપભેર કામ કરવું પડશે
કોરોનાના કારણે અર્થવ્યવસ્થા (Economy) પર થનારા નુકસાન પર કહ્યું કે તેની અસરને ખત્મ કરવા સરકારે ઝડપભેર પગલા ઉઠાવવા પડશે. બધા મંત્રીઓએ બિઝનેસ કન્ટીન્યૂટિ પ્લાન તૈયાર કરવો પડશે.