ભારતમાં પહેલા દિવસે 3 લાખથી વધારે સ્વાસ્થ્યકર્મીઓને કોવિડ 19ની રસીના ખોરાક આપવામાં આવવાની સાથે આજે (16 જાન્યુઆરી) દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન શરુ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સવારે 10.30 વાગે દેશના પહેલા ચરણના કોવિડ 19 રસીકરણ અભિયાનના શરુઆત કરશે. સમગ્ર દેશમાં એક સાથે રસીકરણ અભિયાનની શરુઆત થશે અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ માટે કુલ 3006 રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં જયપુરના સવાઈ માનસિંહ મેડિકલ કોલેજના ડીન સુધીર ભંડારીને સૌથી પહેલો રસીનો ડોઝ આપવામાં આવશે જ્યારે મઘ્યપ્રદેશમાં એક હોસ્પિટલના સુરક્ષા ગાર્ડ અને એક સહાયત સહિત અન્ય લોકોને સૌથી પહેલી રસી લેનારામાં સામેલ છે. મોદીએ કહ્યું કે દેશ કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધ શનિવારે નિર્ણાયત ચરણમાં પ્રવેશ કરશે. તેમણે ટ્વીટ કરી 16 જાન્યુઆરીએ કોવિડ 19 રસીકરણની શરુઆત થશે. કાલે સવારે 10 વાગે અભિયાનનો આરંભ થશે.’
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને તૈયારીની સમીક્ષા કરી
પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે દુનિયાનો સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ થશે. જેમાં સમગ્ર દેશ સામેલ થશે. જન ભાગીદારીના સિદ્ધાંતો પર આની શરુઆત માટે તમામ તૈયારી થઈ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાની તૈયારીની સમીક્ષા કરી અને સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્માણ ભવન પરિસરમાં બનાવવામાં આવેલા વિશેષ કોવિડ 19 નિયંત્રણ કક્ષાનું નિરિક્ષણ કર્યુ. તેમણે કહ્યું કે કોવિશીલ્ડ અને કોવેક્સીન બન્ને રસી સુરક્ષાના માપદંડો પર અને અસરકારકતાના પાયે ખરી ઉતરી છે. બન્ને રસીના 1.65 કરોડ ડોઝ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડેટાબેઝમાં ઉપલબ્ધ સ્વાસ્થ્ય કર્મીઓની સંખ્યાના હિસાબે રસીની ફાળવણી કરવામાં આવી છે.
એક સત્રમાં 100 લોકોનું થશે રસીકરણ
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 10 ટકા ડોઝ સુરક્ષિત રાખવા અને એક દિવસમાં એક સત્રમાં 100 લોકોના રસીકરણ માટે કહેવામાં આવ્યું છે. કોવિડ 19 મહામારી,રસીકરણની શરુઆત અને કોવિડ સોફ્ટવેયરના સંબંધ સવાલોના જવાબ માટે એક કોલ સેન્ટ 1075 પણ બનાવવામાં આવ્યું છે. સરકારના જણાવ્યાનુંસાર સૌથી પહેલા એક કરોડ સ્વાસ્થ્યકર્મી, અગ્રીમ મોર્ચા પર કામ કરનારા લગભગ 2 કરોડ કર્મીઓ અને 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસીના ડોઝ આપવામાં આવશે. એ બાદ ગંભીર રીતે બીમાર 50 વર્ષની ઉંમરના લોકોને રસી અપાશે.
દિલ્હીમાં સ્વાસ્થ્યકર્મીઓ અને ઉચ્ચકર્મીઓના રસીકરણનો ખર્ચ સરકાર ઉઠાવશે. દિલ્હીમાં સીએમ કેજરીવાલની હાજરીમાં એલએનજેપી હોસ્પિટલમાં એક ડોક્ટર, નર્સ અને એક સફાઈ કર્મીઓને રસી આપવામાં આવશે. દિલ્હીમાં 81 કેન્દ્રો પર રસીકરણ અભિયાન શરુ થશે.
ગુજરાતમાં આ લોકોને અપાશે રસી
અધિકારીઓના જણાવ્યાનુંસાર ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના સરકારી હોસ્પિટલોના ચિકિત્સા અધિક્ષકો સહિત અન્ય લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવશે અને અભિયાન દરમિયાન 16000થી વધારે સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાશે. આસામમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણમંત્રી હિંમત વિશ્વ સરમાએ જણાવ્યું કે 1.9 લાખ સ્વાસ્થ્યકર્મીઓમાંથી 6500ને પહેલા રસી આપવામા આવશે.