PM મોદી આજે અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહની નીચે ઓપ્ટિકલ ફાઈબર સુવિધાનું ઉદ્ધાટન કરશે. PMએ રવિવારે આ વિશે જાણકારી આપી હતી અને સાથે જણાવ્યું હતું કે અંડમાન અને નિકોબારને બહારની દુનિયા સાથે વર્ચ્યુઅલ રીતે જોડવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે અંડમાન અને નિકોબાર ભારત સરકારના આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા નિભાવશે.
PM મોદી કરશે આ સુવિધાનું ઉદ્ધાટન
અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહમાં શરૂ કરાશે ખાસ સુવિધા
ઓપ્ટિકલ ફાઈબર સુવિધાનું ઉદ્ધાટન કરશે PM મોદી
અંડમાન અને નિકોબારના 12 દ્વીપને આ ખાસ કામ માટે કરાયા છે પસંદ
PMએ આ માટે ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરતાં કહ્યું છે કે આ દ્વીપ સમૂહ રણનીતિની રીતે ખાસ મહત્વનો છે. આ સિવાય વૈશ્વિક સમુદ્રી વ્યાપારનું મુખ્ય કેન્દ્ર પણ બની શકે છે. કેન્દ્ર સરકારે તેને બ્લૂ ઈકોનોમી હબ અને સમુદ્રી સ્ટાર્ટઅપ માટે મહત્વનું બનાવવા માટે કામ કરવાનું છે. પીએમ મોદીએ કહ્યું કે સમુદ્ર આધારિત જૈવિક અને નારિયેળ આધારિત ઉત્પાદનોના વેપારને વેગ આપવા માટે અંડમાન અને નિકોબારના 12 દ્વીપને પ્રભાવ વાળી પરિયોજનાઓ માટે પસંદ કરાયા છે.
एक आइलैंड से दूसरे आइलैंड तक एयर कनेक्टिविटी में सुधार करते हुए देश के बाकी हिस्सों से आईलैंड्स को एयरवेज से भी जोड़ा जा रहा है। पोर्ट ब्लेयर एयरपोर्ट का बड़े पैमाने पर विस्तार किया जा रहा है : PM मोदी pic.twitter.com/SnhwWCccDf
આ ક્ષેત્ર કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અને નવા ભારતને આગળ વધારવામાં મહત્વનું રહેશે. પોર્ટ બ્લેયર એરપોર્ટના વિસ્તાર અને હવાઈ સંપર્કને વેગ આપવાની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતાં પીએમએ કહ્યું હતું કે ક્ષેત્રમાં 300 કિલોમમીટરનો હાઈવે રેકોર્ડ ટાઈમમાં બનીને તૈયાર થશે.