લોકસભા ચૂંટણી પહેલા દેશના ખેડૂતનોને પોતાની તરફ કરવા રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિ યોજનાની શરૂઆત કરાવશે.
શું છે આ યોજના અને શું મળશે ખેડૂતોને લાભ?
નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના ગોરખપુરથી કિસાન સમ્માન નીધિ યોજનાની શરૂઆત કરાવશે. આ યોજનાનો લાભ માત્ર ખેડૂતોને મળશે. આ યોજના અંતર્ગત 24 ફેબ્રુઆરીએ પહેલી રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. ગોરખપુરમાં ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. ભાજપને ત્રણ રાજ્યોમાં હારનો સામનો કર્યા બાદ તેમને ખેડૂતોને પોતાની તરફ કરવા માટે આ યોજના અમલમાં મુકી છે. આગામી લોકસભા ચૂંટણીમાં દેશના ખેડૂતો ભાજપ તરફી રહે તેવો પ્રયાસ યુપીથી શરૂ કરવાનો પ્રયાસ કરાશે.
24 ફેબ્રુઆરીએ પહેલી રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાશે
ખેડૂતોના ખાતામાં 2 હજાર કરોડ રૂપિયા માટે સરકારે રાષ્ટ્રીય ભૂગતાન નિગમને આદેશ આપ્યા છે. NPIની સિસ્ટમ પર 22 ફેબ્રુઆરી સંબંધિત ખેડૂતોની જાણકારી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત 24 ફેબ્રઆરીએ ખેડૂતના ખાતામાં આ રકમ જમા થશે. નરેન્દ્ર મોદી આ યોજનાને ખુલ્લી મુકશે. મોદી સરકારે ખેડૂતોને પોતાના પાકના નુકસાનના વળતર માટે 6 હજાર આપવાની જાહેરાત કરી છે. મોદી સરકારે 3-3 હજારના હપ્તા કરીને ખેડૂતોને આ રકમ આપવાની વાત કરી છે. આ યોજનાનો પહેલા સપ્તાહમાઁ 12 કરોડ ખેડૂતોને લાભ મળશે.