દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 13 લાખથી વધુ નાગરિકો કોરોના સંક્રમણનો શિકાર બની ચુક્યા છે જયારે 32,000 થી વધુ દર્દીઓ મોતને ભેટ્યા છે. આ પરિસ્થિતિ સામે નિયંત્ર મેળવવા માટે PM મોદીએ દેશમાં ટેસ્ટિંગ કેપેસીટી વધારવા માટે 3 હાઈટેક high-throughput કોવિડ 19 ટેસ્ટિંગ ફેસિલિટી બનાવશે જે દિવસના 10,000 સેમ્પલ ટેસ્ટ કરી શકશે.
ટેસ્ટિંગની કેપેસીટી વધારવાની સાથે સાથે આ ફેસિલિટીને પગલે દર્દીઓમાં રોગનું નિદાન વહેલું થશે જેહતી તેમની સારવાર પણ વહેલી થશે. આમ થવાથી મહામારી સામે નિયંત્રણ મેળવી શકાશે તેવી ગણતરી છે.
ક્યાં છે આ 3 high-throughput ટેસ્ટિંગ ફેસિલિટી?
ICMR: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચ, નોએડા
ICMR: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેરા એન્ડ એન્ટરિક ડિઝીઝ, કોલકાતા
નોંધનીય છે કે આ ફેસિલિટીમાં દિવસના 10,000થી વધારે સેમ્પલ ટેસ્ટ થઇ શકશે.
આ લેબમાં ટર્ન અરાઉન્ડ ટાઈમ અને લેબના કર્મચારીઓને સંક્રમણનો ખતરો ઘટશે. આ લેબમાં કોરોના મહામારી ખતમ થયા પછી પણ હિપેટાઇટિસ B અને C, HIV, TB, સાયટોમેગાલોવાયરસ, ક્લામીડિયા, નીઝેરીયા, ડેન્ગ્યુ જેવા રોગોનું મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ થઇ શકશે.
આ લોન્ચિંગ વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સાયન્સ અને ટેક્નોલોજી મંત્રાલયના મંત્રીઓ ઉપરાંત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને UPના મુખ્યમંત્રીઓ હાજરી આપશે.
આ સાથે ભારતમાં કોરોનાના કુલ 4,67,882 એક્ટિવ કેસ છે જયારે 8,85,577 લોકો સાજા થઇ ચુક્યા. છેલ્લા 24 કલાકમાં 705 લોકોના મોત થયા છે. એવામાં દેશમાં 63.92% લોકો કોરોનાથી સાજા થઇ ચુક્યા છે.