પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ દેશમાં કોરોના વેક્સિનના મહાભિયાનની શરૂઆત કરવાના છે.
16 તારીખે ઍપ કરવામાં આવશે લૉન્ચ
કોરોના વેક્સિન મહાભિયાનની શરૂઆત થશે
સાથે જ મોદી દ્વારા કો-વિન ઍપને પણ લોન્ચ કરવામાં આવી છે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસની વેક્સિનનું વેક્સિનેશન શરૂ થશે.
સૂત્રોના કહ્યાં અનુસાર, પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે આ અભિયાનની શરૂઆત કરશે. દેશના અલગ અલગ રાજ્યોમાં આ દરમિયાન એક સાથે વેક્સિનેશનની શરૂઆત થશે.
મહત્વનું છે કે જેને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે તેને બે ડોઝ આપવામાં આવશે. દરેક વ્યક્તિએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જે બાદ કો-વિન ઍપ દ્વારા તમને રસીની તારીખ સમય અને સ્થળ સિવાય અન્ય જાણકારી આપવામાં આવશે. બંને ડોઝ બાદ તમને સર્ટીફિકેટ મળશે.
રાજધાની દિલ્હીની વાત કરીએ તો લોકનારાયણ જય પ્રકાશ હોસ્પિટલમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સામેલ થઇ શકે તેમ છે.
મહત્વનું છે કે આ સિવાય રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પણ આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જ્યાં કોરોના વેક્સિન સ્ટોર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં બે વેક્સિનને મંજૂરી મળી છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન. જેની સપ્લાય થોડા દિવસો પહેલા જ શરૂ થઇ ગઇ હતી. હવે દેશના દરેક રાજ્યોમાં વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે. ભારતમાં અલગ ચરણમાં વેક્સિનેશનનું કામ થશે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે.
હાલમાં 3 કરોડ વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. જે બાદ ફ્રન્ટલાઇન વકર્સ, 50 વર્ષથી વધુની ઉંમરના લોકો અને ગંભીર બિમારીવાળા લોકોને વેક્સિન આપવામાં આવશે. દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ સિવાય ભાર બાયોટેકની કોવેક્સિનની સપ્લાય શરૂ થઇ ગઇ છે.