અમદાવાદમાં આજે (27 ઓગસ્ટ)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ ફુટ ઓવરબ્રિજ ખુલ્લો મુક્યો છે. અટલ બ્રિજનું પ્રધાનમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી
સાબરમતી નદી પર ફુટ ઓવરબ્રિજ PMએ ખુલ્લો
દેશનો પ્રથમ આ પ્રકારનો ફુટ ઓવરબ્રિજ
અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાઇ છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજ તૈયાર કરાયો છે. ત્યારે આજે PM મોદી ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં આ ફુટ બ્રિજને ખુલ્લો મુક્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર નવનિર્મિત અટલ ફૂટઑવર બ્રિજનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
Our prized possession, the Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge. The modern marvel would be E-Inaugurated, tomorrow 27th August, Saturday by H'ble PM Shri @narendramodi Ji. pic.twitter.com/F9BllFNiR0
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) August 26, 2022
આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લેવામાં આવી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે.
ફૂટ ઓવરબ્રિજની વિશેષતાઓ
બ્રિજના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન
બ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે
ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે
બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા
બ્રિજના બંને છેડેથી પદયાત્રીઓ, સાઇક્લિસ્ટોના આવન-જાવનની વ્યવસ્થા કરી શકશે