પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પુજા પંડાલનું ઉધ્ધાટન કર્યું. પીએમ મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં સામેલ થયા. જ્યાં પીએમ મોદીનું મહિલાઓએ શંખ વગાડી સ્વાગત કર્યું. આ દરમિયાન આસનસોલથી ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોએ રવીન્દ્ર સંગીતનું ગીત પણ સંભાળાવ્યું. બંગાળમાં સૌતી મોટો ઉત્સવ દુર્ગા પૂજા આજથી શરૂ થઇ ગયો છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આત્મનિર્ભર ભારતનો સંદેશ પણ બંગાળથી જ સફળ થશે. બંગાળના તેજ વિકાસ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. બંગાળમાં પીએમ આવાસ યોજના હેઠળ 30 લાખ ઘર બનાવામાં આવી ચૂક્યાં છે. ઉજ્જવલા યોજનામાં 90 લાખ મહિલાઓને ગેસ કનેકશન આપવામાં આવ્યાં. બંગાળમાં ચાર કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યાં. પીએમએ કહ્યું કોલકાતામાં મેટ્રો પ્રોજેક્ટમાં તેજી લાવવામાં આવી છે.
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે આપણે બધા કોરોના સંકટ વચ્ચે દૂર્ગા પૂજા મનાવી રહ્યાં છે. દરેક લોકોએ અદ્દભુત સંયમ બતાવ્યો છે. ભલે સંખ્યા પર અસર પડી હોય, પરંતુ દિવ્યતા અને ભવ્યતા તેવી જ છે.
The festival of #DurgaPuja is a festival that reflects unity and strength of India. It is also a reflection of the traditions and culture that comes from Bengal: Prime Minister Narendra Modi pic.twitter.com/OGWCzu50Tk
પીએમ મોદીએ કહ્યું અહીં દુર્ગાને પોતાની દિકરી માનવામાં આવે છે અને ઘરમાં સ્વાગત કરવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક દિકરીઓ દુર્ગા જેમ સમ્માન કરવા જેવી શીખામણ આપવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે દુર્ગાપુજા ત્યારે પુરી થાય છે જ્યારે આપણે કોઇ બીજાનું દુઃખ દુર કરીએ છીએ.
પીએમ મોદીએ સંબોધનની શરૂઆત બંગાળી ભાષામાં કરી. પીએમ મોદીએ કહ્યું કે ભક્તિની શક્તિ એવી છે કે હું દિલ્હી નહીં પરંતુ બંગાળમાં જ છું. જ્યારે માં દુર્ગાનો આશીર્વાદ હોય તો પૂરો દેશ જ બંગાળ થઇ જાય છે. પીએમ મોદીએ કહ્યું કે બંગાળની ધરતીથી નીકળેલા લોકોએ શસ્ત્ર અને શાસ્ત્રોથી મા ભારતીની સેવા કરી છે.
પીએમ મોદીએ સંબોધન દરમિયાન બંગાળથી આવેલા કેટલાક સ્વતંત્ર સેનાનીઓને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદ સહિત અન્ય બંગાળના લોકોને યાદ કરવાનો દિવસ છે. આજના ભારતને સંભાળવા માટે બંગાળનું મોટુ યોગદાન છે. પીએમ મોદીએ કહ્યું કલા અને સંગીત ક્ષેત્રમાં પણ બંગાળે દેશનું નામ રોશન કર્યું છે.