પ્રધાનમંત્રી મોદી 12 જૂલાઈના રોજ ઝારખંડની જનતાને સૌથી મોટી ગીફ્ટ આપવા જઈ રહ્યા છે.
પીએમ મોદી આવતીકાલે ઝારખંડમાં મોટી ગિફ્ટ આપશે
દેવધરમાં એરપોર્ટ અને એઈમ્સનું કરશે ઉદ્ધાટન
બાબા વૈદ્યનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે
પ્રધાનમંત્રી મોદી 12 જૂલાઈના રોજ ઝારખંડની જનતાને સૌથી મોટી ગીફ્ટ આપવા જઈ રહ્યા છે. પીએમ દેવધરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એઈમ્સ ઉદ્ધાટન કરીને ભેટ આપશે. તેની સાથે જ બાબા વૈદ્યનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. દેવધર પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઝારખંડમાં કેટલીય ભેટ આપવા જઈ રહ્યા છે. જે અંતર્ગત મંગળવારે પીએમ મોદી ટાટા રાંચીને જોડનારો એનએચ 33ની વચ્ચે બનેલા 44.2 કિમીના રોડનું ઉદ્ધાટન પણ કરશે.
દેશનો પ્રથમ રોડ...
આ રોડનું નિર્માણ ટાટા સ્ટીલના બાય પ્રોડક્ટ ટાટા એગ્રેટો એટલે કે, સ્લેગથી કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, સમગ્ર દેશમાં આ પ્રથમ રો઼ડ એવો છે, જેનું નિર્ણામ સ્ટીલ સ્લૈગથી કરવામાં આવ્યું છે. આ ઈકો ફ્રેંડલી રોડનું ઉદ્ધાટન પીએમ મોદી મંગળવારે દેવધરથી ઓનલાઈન કરશે. આ દેશનો પ્રથમ રોડ છે, જે સ્લેગથી બનેલા છે. આવું કરીને ટાટા સ્ટીલના રોડ નિર્માણમાં બેંચમાર્ક સ્થાપિત કરશે.
આપને જણાવી દઈએ કે, 44.2 કિમીના ભાગનું નિર્માણ જમશેદપુર એનએચએઆઈ, કોન્ટ્રાક્ટર આયરન ટાંએંગલ લિમિટેડ અને કેકે બિલ્ડર સંયુક્ત રીતે કરી રહ્યું છે. સહરબેરા-જમશેદપુર-મહુલિયા સુધીના નિર્માણમાં એક મિલિયન ટનથી વધારે સ્લૈગ આધારિત એગ્રિગેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની મંજૂરી બાદ એનએચએઆઈ અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ દ્વારા પ્રોસેસ્ડ સ્લેગ એગ્રીગેટ્સનો ઉપયોગ 2019માં સ્થાપિત કરવામાં આવ્યો હતો.