કુંડલી-માનેસર-પલવલ(કેએમપી) એક્સપ્રેસ-વે સમય કરતાં પહેલા ત્રણ મહિના પહેલા દેશને સમર્પિત કરી દેવામાં આવ્યો છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂગ્રામના સુલ્તાનપુરી ગામ પહોંચ્યાં હતા. પીએમ મોદીએ સીએમ મનોહરલાલ ખટ્ટરની સાથે આ યોજના અને એસ્કોટ્સ મુજેસર અને બલ્લભગઢ મેટ્રો સેકશનને લીલી ઝંડી બતાવી છે. કેએમપી એક્સપ્રેસવેનું ઉધ્ધાટન કર્યાં બાદ પીએમ મોદીએ જનતાને સંબોધન કર્યું. આ એક્સપ્રેસ-વેના ઉધ્ધાટન બાદ દિલ્હી-એનસીઆર માટે વિકાસના નવા દ્વાર ખુલશે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં લોકોને આ બે પરિયોજનાનાની શરૂઆત થવાની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે આ બંને યોજનાઓ બે તસવીરને યાદ કરવાનો અવસર છે. આ તસવીર ભાજપ સરકારોના કાર્યસંસ્કૃતિની છે અમારા કાર્ય કરવાની રીતની છે.
બીજી એ છે કે પહેલાની સરકારમાં કેવા કામ થતાં હતા તેની છે. પહેલાની સરકારે આ કામ પૂરા કરવા 12 વર્ષ લગાવી દીધા. જ્યારે કોમનવેલ્થ ગેમ્સ થવાનું હતું ત્યારે તેનો ઉપયોગની વાત કરાઇ હતી પરંતુ જેમ રમતની ગતિ તેવી જ આ એક્સપ્રેસ-વેની ગતિ થઇ. આ એક કેસના અભ્યાસથી જાણી શકાય કે જનતાના પૈસા કેવી રીતે વેડફાતા હતા.
પીએમ મોદીએ કહ્યું કે આ એક્સપ્રેસથી દિલ્હીમાં ટ્રાફિક જામની સમસ્યામાં પણ રાહત મળશે. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ સરકાર કરતાં અમારા કાર્યકાળમાં હાઇ-વે તેમજ રોડનું કામ વધારે થયું.
પહેલા એક દિવસમાં 12 કિલોમીટરનું કામ થતું હતું પરંતુ આજે 27 કિલોમીટરનું પ્રતિદિવસ કામ થઇ રહ્યું છે. પીએમ મોદીએ એન્જીન વગરની ટ્રેન ટી-18નો પણ ઉલ્લેખ કર્યો.