ગ્રીનફીલ્ડ હેલીકોપ્ટર ફેક્ટ્રી ભારતની સૌથી મોટી હેલીકોપ્ટર નિર્માણની કંપની છે. શરૂઆતમાં અહીં 'લાઈટ યૂટિલિટી હેલીકોપ્ટર' બનાવવામાં આવશે.
PM મોદી કર્ણાટકનાં એક દિવસીય પ્રવાસ આવશે
ભારતની સૌથી મોટી હેલીકોપ્ટર ફેક્ટ્રીનું કરશે ઉદ્ગાટન
615 એકરમાં ફેલાયેલી છે આ ફેક્ટ્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કર્ણાટકનાં એક દિવસીય પ્રવાસ પર આવશે જ્યાં તેઓ આત્મનિર્ભર ભારત કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે તુમકુરૂમાં હિંદુસ્તાન એયરોનૉટિક્સ લિમિડેટ HALની એક હેલિકોપ્ટક ફેક્ટ્રીનું ઉદ્ગાટન કરશે.
Hindustan Aeronautics Limited’s new helicopter factory is to be dedicated to the nation at Tumakuru, Karnataka by Prime Minister Narendra Modi on February 6. HAL would first start production of Light Utility Helicopters from this facility. pic.twitter.com/X8PtJNkoQ9
615 એકરમાં ફેલાયેલી છે આ ફેક્ટ્રી
રક્ષામંત્રાલયે જણાવ્યું કે ગ્રીનફીલ્ડ હેલીકોપ્ટર ફેક્ટ્રી 615 એકરમાં ફેલાયેલી છે. દેશની હેલીકોપ્ટર સંબંધિત તમામ જરૂરિયાતો માટે એક જ જગ્યાએ સામાન ઉપલબ્ધ કરાવવાનાં ઈરાદાથી તેને તૈયાર કરવામાં આવ્યું છે.
ફેક્ટ્રીમાં સૌથી પહેલાં લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટર બનશે
ગ્રીનફીલ્ડ હેલીકોપ્ટર ભારતની સૌથી મોટી હેલીકોપ્ટર નિર્માણની ફેક્ટ્રી છે. શરૂઆતમાં અહીં લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટર બનાવવામાં આવશે.
20 વર્ષમાં 1000થી વધુ હેલીકોપ્ટર બનાવવાની યોજના
એચએએલનાં 20 વર્ષોમાં 3-15 ટનમાં 1000થી વધુ હેલિકોપ્ટર બનાવવાની યોજના છે. આ ફેક્ટ્રીનાં ઉદ્ગાટન સમારોહમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને રક્ષામંત્રાલયનાં વરિષ્ઠ અધિકારી હાજર રહેશે.
પીએમ મોદી ઈ-20ની કરશે શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકની યાત્રા દરમિયાન દેશનાં ઊર્જા ક્ષેત્રનાં પાવરહાઉસની વધી રહેલી શક્તિઓનાં પ્રદર્શન કરવાનાં ઉદેશ્યથી પેટ્રોલની સાથે 20% એથેનોલનાં મિશ્રણ 'ઈ-20'ની શરૂઆત કરશે અને ભારત ઊર્જા સપ્તાહનું પણ ઉદ્ગાટન કરશે. પીએમ મોદી તુમકુરૂ ઔદ્યોગિક શહેર અને તુમકુરૂમાં 2 જળ જીવન મિશન યોજનાઓનું શિલાન્યાસ કરશે.