વડાપ્રધાન મોદી સાયન્સ સીટી ખાતે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી તેમજ નેરચપાર્કનું વર્ચ્યૂઅલ માધ્યમથી લોકાર્પણ કરશે
ગુજરાતમાં ભારતનું સૌથી મોટું એક્વેરિયમ
નેરચપાર્કનું વર્ચ્યૂઅલ માધ્યમથી લોકાર્પણ
અત્યાધુનિક એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી
વડાપ્રધાન મોદી આવતી કાલે અનેક લોકાર્પણના કાર્યક્રમો હાથ ધરાનાર છે. એવામાં સાયન્સ સીટી ખાતે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી તેમજ નેરચપાર્કનું વર્ચ્યૂઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવનાર છે.
સમગ્ર મામલે વિગતો આપતા સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના હસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાયન્સ સીટી ખાતે એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચરપાર્કનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરવામાં આવનાર છે. અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાનો યાદગાર અનુભવ થશે.
એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક
વધુમાં વિજય નહેરાએ જણાવ્યું કે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ ગુજરાત સાયન્સ સિટી સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દિશામાં કાર્યરત છે. સાયન્સ સીટીમાં બીજા તબક્કામાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.
એટલું જ નહીં આ નવા ત્રણ આકર્ષણોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 16 જુલાઈ, 2021ના રોજ શુક્રવાર કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહેશે.
એક્વેટિક ગેલેરીએ અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ
સમગ્ર મામલે વિગતો આપતા સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, “સાયન્સ સીટી ખાતેની એક્વેટિક ગેલેરીએ અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે અને તે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ બની રહેશે. વધુમાં નહેરાએ જણાવ્યું કે, અહીં આવતા મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ મળે તે હેતુથી એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે.
એક્વેરિયમમાં 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ
ઉલ્લેખનિ છે કે નવનિર્મિત પ્રકલ્પોની રૂપરેખા આપતા એક્વિરિયમ અંગે માહિતગાર કરતા જણાવ્યું કે આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતના ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે.
એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં 188 પ્રજાતિની 11,600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલેરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.
અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ
આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે 11,000 સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે.
ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ,આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. એટલું જ નહીં ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. જેમ કે મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, ૧૬ રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ કરશે.