સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં એક જિલ્લામાં બે મોટી ડેરી નિર્માણ પામી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવા ડેરી પ્લાન્ટ લોકાર્પણ અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.
દિયોદરની બનાસ ડેરીમાં PM મોદીનું ભવ્ય સ્વાગત
મહિલાઓએ લીધા ઓવારણાં
151 વીધા જમીનમાં બનાસ ડેરીનો નવો પ્લાન્ટ તૈયાર
1 કરોડ લીટર દૂધ કરી શકાશે પ્રોસેસ
માખણનું ઉત્પાદન વધશે, 60 મેટ્રિક ટન ચીઝનું ઉત્પાદન થશે
બટાકાની પ્રોડક્ટ માટે પ્લાન્ટ તૈયાર
PM MODI નું સંબોધન
આ પ્રસંગે PM મોદીએ કહ્યું હતું કે મારા જીવનમાં પહેલી વખત આવું બન્યું છે કે એકસાથે લખો મહિલાઓ માતાઓ મને આશીર્વાદ આપી રહી છે.
ગોબરધનના માધ્યમથી અનેક લક્ષ્ય હાંસલ થયા
pm મોદીએ કહ્યું હતું કે ગોબરધનના કારણે ગામડાઓમાં ઘણા ફાયદાઓ મેળવવામાં આવી રહ્યા છે. ખેડૂતોને કમાણી થઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાત આજે વિકાસની જે ઊંચાઈએ છે તે દરેક ગુજરાતીને ગર્વથી ભરી દે છે.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે બનાસ ડેરીમાં વિકાસકાર્યોનું લોકાર્પણ થવાથી આજે સોનાનો સૂરજ ઊગ્યો હોય તેવું લાગી રહ્યું છે, સહકાર ક્ષેત્રની તાકાત દેખાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે PM મોદીએ પ્રાકૃતિક ખેતી માટે જે હાકલ કરી છે તે તરફ આપણે હવે વળવાનું છે.
બનાસકાંઠામાં પણ ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાકલ કરી હતી.
શંકર ચૌધરીના આહ્વાહન પર બનાસકાંઠામાં હજારો પશુપાલક મહિલાઓએ એક સાથે લીધા ઓવારણાં અને PM મોદીને ધન્યવાદ કર્યો હતો.
આજે બનાસ ડેરીમાં નવા ડેરી પ્લાન્ટના લોકાર્પણ અને શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસગે હાજર રહેલા ભાજપ નેતા શંકર ચૌધરીએ PM મોદીનાં વખાણ કર્યા હતા. અને તેમના વિઝનથી ખેડૂતો અને પશુપાલકોનું ભલું કરવા માટે આભાર માણ્યો હતો.
તેમણે કહ્યું હતું કે આ મહિલાઓ પોતાના ભાઈ (PM મોદી) ને મળવા આવી છે. આ તમામ મહિલાઓ તમારો આભાર માનવા માંગે છે.
વિદ્યા સૂરક્ષા કેન્દ્ર આખા દેશમાં ખૂલવા જોઈએ
PM મોદીએ કર્યા વિદ્યા સુરક્ષા કેન્દ્રની મુલાકાત બાદ કહ્યું હતું કે હું આખા કાર્યક્રમમાં ડૂબી ગયો હતો. વિદ્યા સુરક્ષા કેન્દ્રની મુલાકાત દરમિયાન આખા આખા કાર્યક્રમમાં હું એવો ડૂબી ગયો કે એક કલાકનો કાર્યક્રમ 2 થી 2.5 કલાક માણ્યો: PM મોદી
તેમણે કહ્યું હતું કે આ કેન્દ્રમાં આખા પ્રદેશની સ્કૂલોમાં ટાઈમ ટેબલ, ચેકિંગ, પ્રશ્નપત્ર એ બધામાં ક્રાંતિ આવશે. શિક્ષણના ક્ષેત્રમાં આ કેન્દ્ર આખા દેશમાં મોટું પરિવર્તન લઆવશે. હું આખા દેશમાં આવાં બીજા કેન્દ્રો બનાવવા માટે સંબંધિત તમામ મંત્રીઓને પણ પણ ભલામણ કરીશ કે તેઓ પણ ગાંધીનગર આવીને વિદ્યા સુરક્ષા કેન્દ્રનો અભ્યાસ કરે.
ગલબાકાકાને નમન
કોરોનાકાળમાં ગલબાકાકાના નામે મેડિકલ કોલેજ ખૂલી. તેમણે ખેડૂતપુત્ર હોવાથી મોટું કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે હું પહેલા ગલબાકાકાને મસ્તક નમાવું છું.
માતાઓને નમન
તેમણે કહ્યું હતું કે મારા બીજા નમન મારી બનાસકાંઠાની માતાઓને કે જેમણે આ કામને આટલે સુધી પહોંચાડ્યું છે.
ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ
આજે બનાસ ડેરી સોમનાથની ધરતીથી જગન્નાથની ધરતી સુધી લાભ પહોંચાડે છે. વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ એટલે ભારત. આપણાં દેશમાં વર્ષે 8.5 લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે.
નાનાં ખેડૂતોની મોટી ચિંતા
હું દિલ્હી ગયો તો નાનાં ખેડૂતોની મોટી ચિંતા કરવાની જવાબદારી મેં ઉપાડી. પહેલાના પ્રધાનમંત્રીઓ માટે કહેવાતું કે દિલ્હીથી રૂપિયો નીકળે તો 15 પૈસા પહોંચે પણ હું કહું છું કે હવે દિલ્હીથી રૂપિયો નીકળે તો ખેડૂત સુધી પૂરેપૂરા 100 પૈસા પહોંચે છે.
વિશ્વમાં ભારતને સક્ષમ અને આત્મનિર્ભર બનાવનાર અને બનાસ ડેરી તેમજ લાખો પશુપાલકોના પથદર્શક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શુભહસ્તે આવતીકાલે બનાસ ડેરી સંકુલ અને વિવિધ પ્લાન્ટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. pic.twitter.com/DQkB0JoHRQ
PM મોદીના હાથે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું. દુનિયાનું પહેલું 48 ટનની ક્ષમતાથી સજ્જ આ પ્લાન્ટમાં પોટેટો વેજિસ, ફ્રેંચ ફ્રાઈસ વગેરે બનાવવામાં આવશે.
ચીઝ અને વે પાઉડર પ્લાન્ટનું નિર્માણ
આ સિવાય ચીઝ અને વે પાઉડર પ્લાન્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યૂ હતું. જેમાંથી પ્રોટીન પાઉડર જેવી ઉત્તમ પ્રોડક્ટ્સ બનાવવામાં આવશે.
વેસ્ટમાંથી બેસ્ટ
આત્મનિર્ભર ભારત હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલ પશુઓના ગોબરમાંથી ગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિ બનાસકાંઠા જિલ્લાની ૪.૫ લાખ દૂધ ઉત્પાદકોએ કરાવી છે. આ દૂધ ઉત્પાદક પરિવારોમાં મહિલોનું યોગદાન અમૂલ્ય હોય છે. ઠંડી, ગરમી અને વર્ષા એમ ત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતો બનાસકાંઠા જિલ્લો આજે દૂધ ઉત્પાદન થકી ‘શ્વેત વિકાસ’ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે. સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે કે, જ્યાં એક જિલ્લામાં બે મોટી ડેરી છે. એટલુ જ નહીં, પરંતુ છેલ્લા સાત વર્ષમાં બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ‘સ્વ’ના બદલે બીજાના હિતનો વિચાર કરીને પૂજ્ય ગલબાભાઇ પટેલે બનાસ ડેરીની સ્થાપના કરી હતી જે આજે વટવૃક્ષ બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડેરી પ્લાન્ટ થશે લોકાર્પણ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું આવતી કાલે તારીખ ૧૯ એપ્રિલ-૨૦૨૨, મંગળવારના રોજ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરશે. કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ, પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન, દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન ચાર ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા બનાસવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા સભાસદ મહિલાઓ ગામે ગામ ફરીને આમંત્રણ આપ્યું હોય તે પણ કદાચ સૌ પ્રથમ ઘટના છે.
હાલના સમયમાં બનાસ ડેરી વિશ્વને સફળ ગાથા સુણાવી રહી છે. સાચુ પુછો તો, બનાસ ડેરી બનાસકાંઠાના ખેડૂતોની જીવાદોરી છે. આજે બનાસ ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં સાત-આઠ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બનાસ ડેરી સાથે જૂનો નાતોઃ શંકર ચૌધરી
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી કહે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બનાસ ડેરી સાથે જૂનો નાતો છે. વર્ષ 2002માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ બનાસકાંઠા અને બનાસ ડેરીને તેમનુ દીર્ઘદ્રષ્ટીપૂર્ણ માર્ગદર્શન સમયાંતરે મળતું રહ્યું છે. તેમણે આપેલા વિચારબીજ ક્રમશ: વટવૃક્ષ બનતા જાય છે. તેના ફળ આજે બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને આસપાસના લોકો મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવું પહેલી વાર બન્યું હશે કે "એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય, જૂન-૨૦૨૦માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા સાત દેશોની મશીનરી લગાવાઇ છે. આ પ્લાન્ટમાં ૩૦ લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા કરવાની ક્ષમતા છે. જે વધારીને ૫૦ લાખ લીટર પ્રતિદિન થઇ શકશે. પ્લાન્ટમાં ૧૦૦ ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, ૧ લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, ૨૦ ટન પ્રતિદિન ખોવા તેમજ ૬ ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં આ સંકુલમાં જ ૪૮ ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ વિકસાવવામાં આવનાર છે. બનાસ ડેરી સંકુલ, દિયોદરમાં સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. જે લોકશિક્ષણ અને પશુપાલનમાં અત્યંત ઉપયોગી થશે તેમ શંકર ચૌધરીએ કહ્યું હતું.
બનાસ ડેરી કોરોનાકાળમાં પણ દૂધ ધારા વહેતી બંધ થવા દીધી નથી
કોરોનાની કપરી પરિસ્થિતિમાં જ્યારે બધુ જ ઠપ થઈ ગયું હતું ત્યારે પણ બનાસ ડેરીની મહિલા પશુપાલકોના હાથ પશુધનનું દૂધ દોહતી રહી અને શ્વેત વિકાસની ગતિ અવિરત ચાલતી રહી... બનાસ ડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ ધારા વહેતી બંધ થવા દીધી નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે ભાવફેર એટલે કે નફો પણ આપવામાં આવે છે જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિયોદરમાં વિશાળ મહિલા સંમેલનને સંબોધશે, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળવા આતુર છે. આ કાર્યક્રમ માટે મહિલાઓએ ગામે-ગામ જઈને કાર્યક્રમનું આમંત્રણ પાઠવ્યું છે. આ પણ કદાચ દેશમાં બનેલી પ્રથમ ઘટના છે. આ ઉપરાંત મહિલાઓએ ગામે-ગામ જઈને ગરબા રમીને પણ ગામલોકોને કાર્યક્રમ અંગે લોકોને જાણકારી આપવાનુ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે.
બનાસકાંઠાની મહિલાઓએ વિશ્વમાં બનાવી આગવી ઓળખ
બનાસ ડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો ડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. બનાસકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાન ધરાવતી હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણે આજે બનાસ ડેરીએ જગતભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. બનાસડેરીની મહિલા પશુપાલકોએ સાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાય દ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારને આત્મસન્માનપૂર્વક આગળ ધપાવી રહી છે. સો સો સલામ છે આવી મહિલા પશુપાલકોને કે, જેમણે દેશ અને દુનિયાને ગુજરાતની નારીશક્તિની અનોખી પહેચાન કરાવી છે.