પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યને ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે. દિલ્હીથી પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં છે. ગિરનારમાં રોપ વે, યુ.એન.મહેતામાં હાર્ટ હોસ્પિટલ અને ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે સર્વોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદીએ આજે રાજ્યને ત્રણ મોટી ભેટ આપી
એશિયાની સૌથી મોટી રોપ-વેનો પ્રધાનમંત્રીએ કરાવ્યો પ્રારંભ
દિલ્હીથી પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં
એશિયાની સૌથી મોટી રોપ-વેનો પ્રધાનમંત્રીના હસ્તે પ્રારંભ
આજે એશિયાની સૌથી મોટી રોપ-વેનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી જૂનાગઢમાં હાજર રહ્યાં છે. આ સાથે જ હવે ખેડૂતોને પિયત માટે દિવસે પણ વીજળી મળી રહેશે. એટલે કે ખેડૂતોને રાત્રીના ઉજાગરા નહીં કરવા પડે.
એશિયાના સૌથી મોટા રોપવે ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિતના મંત્રીઓ જૂનાગઢ પહોંચ્યા હતા. ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થશે.
અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. આ રોપવેમાં એક કલાકમાં 800 લોકો મુસાફરી કરી શકશે. 2.3 કિલોમીટરના રૂટમાં 9 ટાવર લગાવાયા છે. 1 ટાવરની લંબાઈ 66 ફૂટ છે.. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મીટર હશે. 1 કલાકમાં 800 દર્શનાર્થી તળેટીથી મંદિર સુધી જઇ શકશે.
Delhi: Prime Minister Narendra Modi inaugurates the Paediatric Heart Hospital attached with UN Mehta Institute of Cardiology and Research Centre in Gujarat, via video link. pic.twitter.com/QwfQiMC7ME
ઉલ્લેખનીય છે કે હવે આ હોસ્પિટલમાં નવી 800 પથારીનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ નાના બાળકોના હ્રદયની સારવાર માટે નવીન આધુનિક હોસ્પિટલનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થયું છે. પ્રધાનમંત્રીએ દિલ્હીથી આનું લોકાર્પણ કર્યું. આ ઉદ્ધાટન સમયે નીતિન પટેલ અને કૌશિક પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં હાજર રહ્યાં.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટનું આજે પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું છે. 470 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનથી હોસ્પિટલને સજ્જ કરાઇ છે. આ હોસ્પિટલમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે.
નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બીમારી ધરાવતા હોય તેમને સારવાર આપવાની હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. આ હોસ્પિટલમાં 15 કાર્ડિયાક ઓપરેશન થિયેટર, 5 કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડિયાક ઓપરેશન થિયેટર સાથેની કેથલેબ, 176 બાળકો અને સર્જીકલ, મેડીકલ ICU બેડ, 114 હ્રદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ છે
ખેડૂતોને વીજળી મળે તે માટેની યોજનાનું ઈ-લોકાર્પણ કરાયું
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખેડૂતોને વીજળી મળે તે માટેની યોજનાનું ઈ-લોકાર્પણ કરાયું છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે રાજ્ય સરકારે બજેટમાં 3500 કરોડની જોગવાઈ કરી છે.
3500 કરોડના ખર્ચે 66 કેવીની 3490 સક્રિટ કિલોમીટર જેટવી 234 નવી ટ્રાન્સમિશન લાઈનો તથા 220 કેવીના 9 નવા સબ સ્ટેશનો મુકીને ગુજરાત વીજ માળખું સુદ્રઢ કરાશે. આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ, અને દાહોદના કુલ 1055 ગામને વીજ પુરવઠો અપાશે.. આગામી 3 વર્ષમાં તબક્કાવાર સમગ્ર રાજ્યને આવરી લેવાશે.