વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 16માં પ્રવાસી ભારતીય દિવસનું ઉધ્ધાટન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ પ્રવાસી ભારતીય દિવસ પર સંબોધન કર્યું.
પ્રવાસી ભારતીય દિવસના સંબોધનમાં પીએમ મોદીએ અટલજીને યાદ કર્યાં હતા. પીએમએ કહ્યું કે પ્રવાસી ભારતીય દિવસને અટલજીએ શરૂ કર્યો હતો. અટલજીના આ વિચારને નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષોમાં તમારા સહયોગથી ભારતે વિકાસ કર્યો છે.
ભારત આજે કેટલાય ક્ષેત્રોમાં આગેવાની કરવા માટે સક્ષમ છે. ભારત બદલી નહીં શકે તેવી વિચારધારાને અમે જ બદલી નાંખી છે. આજે દુનિયાની સૌથી મોટી આરોગ્ય માટેની યોજના ભારત ચલાવી રહ્યું છે.
ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોએ દેશનું નામ રોશન કર્યું તેમ જણાવ્યું હતું. પીએમએ મેક ઇન ઇન્ડીયા હેઠળ આજે દેશમાં મોબાઇલ બસ ટેન્ક બની રહી છે. પીએમ મોદીએ કહ્યું કે અમારો મંત્ર રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ છે.
પીએમ મોદીએ અગાઉની સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે દેશમાં પહેલા 100 પૈસામાંથી માત્ર 15 પૈસા ગામડા સુધી પહોંચતા હતા. પરંતુ અમે ટેકનોલોજીના માધ્યમથી 85 ટકા લૂંટને અમે 100 ટકા દૂર કરી નાંખી.
આમ વ્યવસ્થામાં બદલાવથી ભ્રષ્ટાચાર દૂર થયો. ઇટાલી અને બ્રિટનની કુલ જનસંખ્યા જેટલા લોકો માત્ર કાગળ પર હતા. જ્યારે 4 વર્ષમાં વિદેશમાં ફસાયેલા પ્રવાસી ભારતીયોને સરકારે મદદ પહોંચાડી છે.