કેન્દ્ર સરકારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 4 ડિસેમ્બરના રોજ ફરી એકવાર સર્વદળીય બેઠક બોલાવી છે. સોમવારે સૂત્રો દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરના રોજ કોવિડ-19ની દેશમાં સ્થિતિ કરવા માટે સદનમાં તમામ પાર્ટીઓના વડાઓ સાથે ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યા છે.
ભારતના કેટલાક રાજ્યમાં કોરોનાને લઇને સ્થિતિ બગડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવી સર્વદળીય બેઠક
આજે કોવિડની રસી મુદ્દે યોજી હતી ઓનલાઇન બેઠક
સમાચાર એજન્સી 'પીટીઆઈ' એ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે સંસદના બંને ગૃહોમાં પાર્ટીઓના નેતાઓને શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ઓનલાઇન બેઠક માટે બોલાવાયા છે. આ માટે સંસદીય કાર્ય મંત્રાલય બેઠક માટે સંકલન કરી સંસદના બંને ગૃહોમાં પાર્ટીઓના નેતાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
આજે કોવિડની રસી મુદ્દે યોજી હતી ઓનલાઇન બેઠક
આપને જણાવી દઇએ કે, સોમવારે પીએમ મોદીએ કોવિડ -19 રસીના વિકાસ અને ઉત્પાદન માટે ત્રણ ટીમો સાથે સોમવારે ઓનલાઇન બેઠક યોજી છે. આ ત્રણેય કંપનીઓ પુનાની 'જેનોવા બાયોફર્માસ્ટિકલ લિમિટેડ', હૈદરાબાદની 'બાયોલોજિકલ ઇ લિમિટેડ' અને 'ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિ. મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત પણ લીધી હતી. તેમણે આ શહેરોમાં કોરોનાવાયરસ રસીના વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા કરી.
કોરોનાને કારણે દેશમાં 1,37,139 લોકોના અત્યાર સુધીમાં થયાં મોત
આપને જણાવી દઇએ કે, ભારતમાં ગત 24 કલાક દરમિયાન 38,772 નવા કેસ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 94,31,691 પર પહોંચી ગયા છે. આ સાથે જ 443 લોકોના મૃત્યુ થયાં છે અને મૃત્યુઆંક વધીને 1,37,139 થઈ ગયો છે.
ગુજરાતમાં સ્થિતિ વણસી છે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1564 કેસ સામે આવ્યા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1451 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,89,420 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.95 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 68,960 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,759,739 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 86 લોકો વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઇ
તાજેતરમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના વડા મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ભણકારા સંભળાઇ રહ્યા છે. તો તેમણે એમ પણ જણાવ્યું હતું હતું કે, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના મહિના દરમિયાન કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ શકે છે.