શિક્ષા મંત્રાલય દ્રારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ઉચ્ચ શિક્ષણમાં ફેરફારને લઈને એક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોન્કલેવને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
PM મોદી નવી શિક્ષા નીતિ પર કરશે સંબોધન
સવારે 11 વાગે PM મોદી દેશને સંબોધતિ કરશે
29મી જુલાઇએ નવી શિક્ષણનીતિની થઇ હતી જાહેરાત
આજે સવારે 11 વાગે PM મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધારો વિષય પર દેશને સંબોધતિ કરશે. શિક્ષા મંત્રાલય દ્રારા આયોજિત આ કાર્યક્રમમાં નવી શિક્ષણ નીતિ, ભવિષ્યનું શિક્ષણ, તથા સંશોધન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે..
કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ રહેશે હાજર
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સંજય ધોત્રે પણ સામેલ થશે. જ્યારે તમામ યુનિવર્સિટીઓના કુલપતિ, સંસ્થાઓના નિર્દેશક અને કોલેજોના આચાર્યો અને અન્ય શિક્ષણવિદો આ કાર્યક્રમમાં અલગ અલગ વિષયોને લઈ સત્રમાં ભાગ લેશે.
At 11 AM on Friday, 7th August, I would be addressing the ‘Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy.’
This conclave will emphasise on how the changes in India’s education sector will benefit youngsters. https://t.co/JkYXosI7WF
તેમજ રાષ્ટ્રીય શિક્ષા નિતીનું માળખું તૈયાર કરનાર સમિતિના તમામ સભ્યો પણ હાજર રહેશે. મહત્વનું છે કે, 29 જુલાઈએ નવી શિક્ષણ નીતિ 2020ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. આ અગાઉ ભારતની શિક્ષણ નીતિ 34 વર્ષ પહેલા 1986માં તૈયાર કરવામાં આવી હતી. અને 1992માં તેને સંશોધન કરવામાં આવ્યુ છે...