રક્ષા મંત્રાલયની તાજેતરની બેઠકમાં ભારતીય સૈન્યમાં 118 અપગ્રેડેડ અર્જુન માર્ક 1 એ ટેન્કનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતીય સેનામાં સામેલ થશે સ્વદેશી રણગાડી
પીએમ મોદી 14 ફેબ્રુઆરીના રોજ કરશે રાષ્ટ્રને સમર્પિત
અર્જુન માર્ક 1 એ રણગાડી સંપૂર્ણ સ્વદેશી છે, જે DRDO એ વિકસાવી છે
ભારતીય સેના સરહદ પર દુશ્મનોના કોઈ પણ અટકચાળાઓના જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. લડાકુ વિમાન રાફેલ પછી હવે સેના જમીન પર પણ પોતાને વ્યૂહાત્મક રીતે મજબૂત કરવા માંગે છે. દેશમાં બનાવવામાં આવતા શસ્ત્રો મેક ઇન ઇન્ડિયાને ઘણું પ્રોત્સાહન આપી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી રવિવારે આ ક્રમમાં અદ્યતન સ્વદેશી બનાવટની રણગાડી અર્જુન માર્ક 1 એ દેશને સમર્પિત કરશે.
PM Modi to dedicate Arjun tank to the nation on Sunday, Army to get 118 latest tanks
ડિફેન્સ મિનિસ્ટ્રીની તાજેતરની બેઠકમાં ભારતીય સૈન્યમાં 118 અપગ્રેડેડ અર્જુન માર્ક 1 એ રણગાડીઓનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 8400 કરોડ જેટલી કિંમતની આ રણગાડીઓ જમીન પર ભૂમિદળને મોટી મજબૂતી આપવાનું કામ કરશે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમમેન્ટ ઓર્ગેનાઇજેશન DRDO ના અધિકારીઓએ કહ્યું કે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદી અર્જુન ટેન્કના અદ્યતન સંસ્કરણ દેશને સમર્પિત કરશે. 14 ફેબ્રુઆરીએ વડા પ્રધાન તેને ચેન્નઈના અવાડીમાં રાષ્ટ્રને સમર્પિત કરશે. મહત્વનું છે કે DRDO દ્વારા આ રણગાડીને સંપૂર્ણ સ્વદેશી રીતે બનાવવામાં આવી છે અને તે ભારતીય સૈન્યની દરેક જરૂરિયાતને પૂર્ણ કરવામાં સક્ષમ બનશે.
કુલ 2 રેજિમેન્ટ બનાવવામાં આવશે
આ 118 રણગાડીમાંથી બે રેજિમેન્ટ બનાવવામાં આવશે. DRDO લાંબા સમયથી અર્જુન માર્ક 1 એ ટેન્ક પર કામ કરી રહી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને DRDO ચીફ ડો. જી. સતિષ રેડ્ડી વચ્ચે સેના માટે સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ બનાવવા માટે ચર્ચા થઈ હતી. અર્જુન ટેન્ક DRDO ના કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં બનાવવામાં આવી છે. DRDO ચીફ સતીષ રેડ્ડી પીએમ મોદીને પ્રથમ ટેન્ક ભેટ કરશે.
નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનાથી ચીન અને ભારતની સૈન્ય વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા LAC પર તણાવ ચાલી રહ્યો છે. હાલમાં પેંગોંગ લેકના દક્ષિણ વિસ્તારથી બંને દેશોની સેના પીછેહઠ કરી રહી છે, પરંતુ ચીનના કપટને ધ્યાનમાં રાખીને ભારત સંપૂર્ણ રીતે સચેત છે. તે જ સમયે, પશ્ચિમ સરહદ પર પાકિસ્તાનની નફરતકારક પ્રવૃત્તિઓ કોઈથી છુપાયેલી નથી. આવી સ્થિતિમાં, ભારત આસમાનથી લઈને સમુદ્ર, અને જમીન સુધી પોતાની સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવામાં વ્યસ્ત છે.