બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને ભારત આવવા રવાના, કાલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

પહેલગામ / PM મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવીને ભારત આવવા રવાના, કાલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

Last Updated: 12:04 AM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી રહ્યા નહોતા. તેમણે પોતાની સાઉદી યાત્રા ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. તે આજે રાત્રે ભારત જવા રવાના થશે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી રહ્યા નહોતા. તેમણે પોતાની સાઉદી યાત્રા ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. તે આજે રાત્રે ભારત જવા રવાના થશે. બુધવારે સવારે ભારત પહોંચશે. પ્રધાનમંત્રી બે દિવસની મુલાકાત માટે સાઉદી અરેબિયા ગયા હતા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી ન હતી. તેઓ સતત ગૃહમંત્રી અમિત શાહ અને ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં હતા. તે આજે રાત્રે ભારત જવા રવાના થશે. બુધવારે સવારે ભારત પહોંચશે. પ્રધાનમંત્રી બે દિવસની સાઉદી મુલાકાતે ગયા હતા.

પહેલગામ હુમલાના વિરોધમાં કાલે કાશ્મીરમાં સંપૂર્ણ બંધનું એલાન

પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, "ચેમ્બર અને બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પરના ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આવતીકાલે સંપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. હું બધા કાશ્મીરીઓને પહેલગામમાં થયેલા ક્રૂર હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધને ટેકો આપવા અપીલ કરું છું. આ ફક્ત અમુક પસંદગીના લોકો પર હુમલો નથી - તે આપણા બધા પર હુમલો છે. અમે શોક અને આક્રોશમાં સાથે ઉભા છીએ અને નિર્દોષ લોકોના નરસંહારની નિંદા કરવા માટે આ બંધને મજબૂત સમર્થન આપીએ છીએ."

આતંકવાદી હુમલા બાદ ઉજ્જૈનમાં પણ એલર્ટ

પહેલગામ હુમલા બાદ દેશના ઘણા ભાગોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આતંકવાદી હુમલા બાદ ઉજ્જૈનમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉજ્જૈન પોલીસ શહેરમાં માર્ચ કરી રહી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: દિલ્હીમાં એલર્ટ જારી

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દિલ્હીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસને પર્યટન સ્થળો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર કડક નજર રાખવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જારી

મહારાષ્ટ્ર પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મહારાષ્ટ્રમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એસપી અને કમિશનરોને યોગ્ય સુરક્ષા પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યમાં તકેદારી વધારી દેવામાં આવી છે, દરેક નાની-નાની બાબત પર ગંભીરતાથી નજર રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pahalgam attack today jk terror attack PM Modi cancel UAE visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ