પ્રધાનમંત્રી મોદી 27 એપ્રિલના બપોરના 12 વાગ્યે તમામ મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને કોરોના મુદ્દે ચર્ચા કરશે.
બુધવાર 27 એપ્રિલે પીએમ મોદીનું મોટું કામ
કોરોના મુદ્દે કરશે તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક
દેશમાં કોરોના વધતા એક્શનમાં કેન્દ્ર સરકાર
દેશમાં દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કોરોના કેસ વધી રહ્યાં છે.આવી સ્થિતિમાં કોરોનાની સમિક્ષા કરવી જરુરી છે. આ ક્રમમાં હવે કેન્દ્રીય સ્તરે ધમધમાટ શરુ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ આ કામનું બીડું ઉઠાવ્યું છે. પીએમ મોદીએ 27 એપ્રિલના બપોરના 12 વાગ્યે તમામ મુખ્યમંત્રીઓ સાથે એક મોટી બેઠક કરવાના છે. પીએમે મોદી મુખ્યમંત્રીઓ સાથે કોવિડ સ્થિતિની ચર્ચા કરશે અને રાજ્યોને જરુરી પગલાં ભરવાનો આદેશ આપશે.
A meeting to discuss the Covid situation in the country has been convened at 12 pm on Wednesday, April 27 via video conferencing. The meeting will be chaired by Prime Minister Narendra Modi: Official Sources
બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રી શાહ, રાજનાથસિંહ સહિતના પીએમઓના અધિકારીઓ હાજર રહેશે અને દેશની કોરોનાની સ્થિતિની સમિક્ષા કરશે.
શું ચર્ચા થઈ શકે
પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના સંબંધિત કેટલાક આદેશ આપી શકે છે. બેઠકમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓનો બૂસ્ટર ડોઝ મફતમાં આપવાનો આગ્રહ કરી શકે છે.
છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાની સ્થિતિ
દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિતના કેટલાક રાજ્યો દિનપ્રતિદિન સરકારનું ટેન્શન વધારી રહ્યાં છે. અહીંના કોરોનાના કેસમાં દૈનિક વધારો આવી રહ્યો છે.
મદ્રાસની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોરોનાના 55 કેસ
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસમાં કોરોનાના 55 કેસ સામે આવ્યા છે. તમિલનાડુના આરોગ્ય સચિવ જે રાધાક્રિષ્નને શનિવારે ચેન્નાઈમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી અને કહ્યું હતું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રાધાકૃષ્ણને કહ્યું કે 1,420 લોકોમાંથી 55 લોકોને અત્યાર સુધીમાં અલગ રાખવામાં આવ્યા છે. આ બધા કોવિડ-19ના ખૂબ જ સ્ટેબલ અને ખૂબ જ હળવા કેસો છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર કેમ્પસમાં પહેલેથી જ ઉપલબ્ધ આઇસોલેશન સુવિધાનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યું છે.
PM Modi to chair COVID review meeting with CMs on April 27
દિલ્હીમાં રવિવારે 1083 લોકોને થયો કોરોના
દિલ્હીમાં સતત ત્રણ દિવસથી કોરોનાના 1000ને ઉપર કેસ આવી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1093 કેસ આવી રહ્યાં છે. જે સૌથી વધારે ચિંતાજનક રાજ્ય છે તેમાં દિલ્હી સામેલ છે.
મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી રાહત નહીં
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 144 નવા કેસ અને બે મોત નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 78,76,841 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 1,47,834 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે બંને મૃત્યુ પુણે શહેરના છે. તે જ સમયે, 95 દર્દીઓને કોરોનાથી સારવાર બાદ રજા આપવામાં આવી હતી. રવિવાર સુધીમાં મહારાષ્ટ્રમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 77,28,091 થઈ ગઈ છે, જેના પગલે રાજ્યમાં 916 સક્રિય કેસ નોંધાયા છે.