નવી દિલ્હીઃ આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠક યોજાશે. બેઠકમાં નીતિ આયોગના અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રભવનમાં રાખવામાં આવી છે. જેમાં તમામ મુખ્યમંત્રીઓને ન્યૂ ઈન્ડિયા 2022 એજન્ડા આપવામાં આવશે. તેના પર કામ કરવાની રણનીતિ બતાવવામાં આવશે.
આ બેઠકમાં ગત વર્ષના કામોની સમિક્ષા કરવામાં આવશે તો આવનારા વર્ષ માટે વિકાસના એજન્ડા પર કેવી આગળ વધી શકાય ? તેની રૂપરેખા નક્કી કરવામાં આવશે. આ સાથે 2022માં ભારત તેની આઝાદી 75 વર્ષ ઉજવણી કેવી રીતે કરવી અને ભારતની તસ્વીર 2022 સુધી કેવી બદલી શકાય તેના પર ભાર મુકવામાં આવશે.
ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલા આયુષ્માન ભારત કાર્યક્રમની પ્રગતિ રાષ્ટ્રીય પોષણ મિશન અને મિશન ઈન્દ્રધનુષની સાથે સાથે દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠ જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.