પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ કૈડેટ કૉર્પ્સ (NCC)ની રેલીને સંબોધન કરતાં કહ્યું કે વિશ્વમાં આજે આપણા દેશની ઓળખ યુવા દેશ તરીકે થાય છે. દેશમાં 65 ટકાથી વધારે લોકો 35 વર્ષ કરતાં ઓછી ઉંમરના છે.
PM મોદીએ એનસીસી રેલીને સંબોધન કર્યું
વિશ્વમાં આજે આપણા દેશની ઓળખ યુવા દેશ તરીકે
દેશમાં 65 ટકાથી વધારે 35 વર્ષ કરતાં ઓછી ઉંમરના
દેશ યુવા છે, તેનો આપણને ગર્વ છે, પરંતુ દેશનો વિચાર યુવા હોય તેની જવાબદારી આપણી હોવી જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે આજનો યુવા દેશનો બદલાવ ઇચ્છે છે, એટલા માટે તેણે નક્કી કર્યું છે કે હવે ટાળવામાં નહીં આવે, હવે ટકરાવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે.
PM Narendra Modi: Earlier, what was done for solving problems in Kashmir? 3-4 families worked not towards solving the issues but towards nurturing them. The result was that thousands of innocents died due to terrorism. People were forced to even migrate from there pic.twitter.com/D9x7q8GhVo
રેલીને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે NCC દેશના યુવાઓને ઉર્જા, શિસ્ત, નિષ્ઠા અને આવી લાગણીઓ માટે પ્રેરણા આપે છે. આ ભાવનાઓ સીધી દેશના વિકાસ સાથે જોડેલી છે. 65 ટકા ભારતીય 35 વર્ષથી ઓછી ઉંમરના છે.
PM Narendra Modi, at National Cadet Corps rally in Delhi: A country where youth is disciplined, has will power & determination, it can never be stopped on its path to development. India has a young population, we're proud of it but the thinking of the country should be young too. pic.twitter.com/tAy8O9De0X
નામ લીધા વગર પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પડોશી દેશને હરાવવામાં આપણને 10 દિવસ પણ લાગશે નહીં. પડોશી દેશ ત્રણ વખત યુદ્ધ હારી ચૂક્યું છે. તેઓ પ્રોક્સી વૉર લડી રહ્યાં છે. શું આપણે આપણા યુવાઓને એવો દેશ સોંપી શકીએ જ્યાં આતંકવાદની સમસ્યા હતી?