પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત ભારત યોજનાનો સંપૂર્ણ લાભ સમગ્ર દેશને મળે છે. આનો લાભ દરેક બીમાર વ્યક્તિને મળશે છે, જે પહેલા અસંભવ હતું. ગત એક વર્ષમાં અંદાજિત 50 હજાર લોકોને આ યોજનાનો લાભ પોતાના ગૃહ રાજ્યથી બહાર પણ મળ્યો.
આયુષ્માન ભારત યોજના 130 કરોડ લોકોના સામર્થ્યનું પ્રતીક છે
દુનિયાની સૌથી મોટી હેલ્થ કેયર સ્કીમ અત્યારે ભારતમાં ચાલી રહી છે
દિલ્હીમાં થઇ રહેલ આરોગ્ય મંથન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આયુષ્માર ભારત ન્યૂ ઇન્ડિયાના ક્રાંતિકારી નિર્ણયોમાંથી એક છે. માત્ર એટલા માટે નહીં કે આ સામાન્ય માનવ જીવનને બચાવવા મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે પરંતુ આ દેશના 130 કરોડ લોકોને સામૂહિક સંકલ્પ અને સામર્થ્યનું પણ પ્રતીક છે.
આયુષ્માનનો અર્થ હવે સૌ સમજે છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, પીએમ-જય, હવે ગરીબોની જય બની ગઇ છે. જ્યારે ગરીબ બાળક અથવા ઘરના એક માત્ર કમાનાર સ્વસ્થ થઇને નીકળે છે તો આયુષ્માન હોવાનો અર્થ સમજે છે. આ મહાન કાર્યમાં લાગેલા દરેક મિત્રોનો હું સાધુવાદ આપું છું, ધન્યવાદ આપું છું.
પીએમ મોદીએ કહ્યું કે, દેશના દરેક નાગરિકને ઘરની નજીક જ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળે જેના માટે દરેક રાજ્ય પ્રયાસ કરી રહ્યા છે. દરેક ભારતીય નાગરિકનું દાયિત્વ છે કે દેશનો કોઇ પણ વ્યક્તિ આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ મળે જેના માટે દરેક રાજ્ય પ્રયાસ કરી રહ્યા છે. દરેક ભારતીય નાગરિકનું દાયિત્વ છે કે દેશનો કોઇ પણ વ્યક્તિ આધુનિક સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત ન રહે. આયુષ્માન ભારતની આ ભાવનાને મજબૂત કરી રહી છે.
દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ભારતની સંકલ્પ શક્તિ છે કે દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર સ્કીમ અમે ભારતમાં સફળતાની સાથે ચલાવી રહ્યા છીએ. આ સફળતાની પાછળ સમર્પણની ભાવના છે. આ સમર્પણ દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનું છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશના 46 લાખ ગરીબ લોકોમાં બિમારીની નિરાશાથી સ્વસ્થ થવાની આશા જાગવી બહુ મોટી સિદ્ધી છે. આ એક વર્ષમાં કોઇ એક વ્યક્તિની જમીન, ઘર, ઘરેણા અથવા કોઇ અન્ય સામાન વેચવાથી બચ્યા છે તો આ આયુષ્માન ભારતની બહુ મોટી સફળતા છે.