પ્રધાનમંત્રી મોદીએ આજે 2020ની છેલ્લી મનકી બાત દ્વારા દેશના નાગરિકોને સંબોધન કર્યું કહ્યું હતું. તેમણે જણાવ્યું કે... દેશ 2021માં નવી સફળતાઓ હાંસલ કરે અને દુનિયાભરમાં નામના મેળવે તેવી આશા છે.
હવે ભારતમાં બનશે બેસ્ટ ગ્લોબલ વસ્તુ : પીએમ મોદી
હવે ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટ સાથે કામ કરવાનો સમય, વિદેશી ઉત્પાદનના વિકલ્પો ભારતમાં ઉપલબ્ધ થયા અને હવે ગ્લોબલ બેસ્ટ વસ્તુ ભારતમાં બનાવવાનો સમય આવી ગયો છે : પીએમ મોદી
દિપડાની વસ્તીમાં વધારો થયો હોવાની કરી વાત
દેશમાં દિપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો નોંધાયો છે. 2014માં 7900 હતી જ્યારે 2019માં 12852 થઇ છે. જિમ કાર્બેટે જણાવ્યું હતું જે લોકોએ ચિત્તાને સ્વચ્છંદી રીતે ફરતા નથી જોયા તેમની સુંદરતાનું વર્ણન કરી શકતા નથી. મધ્યપ્રદેશ, કર્ણાટક, અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ દિપડા છે. તો સિંહની વસ્તીમાં પણ વધારો થયો છે.
ઉદ્યમીઓ તથા સ્ટાર્ટઅપ્સે આગળ આવવાની જરૂર
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, લોક ફોર વોકલને પ્રાધાન્ય મળ્યું છે અને આવનારા સમયમાં ભારતમાં જ મોટા ભાગની પ્રોડક્ટ ભારતમાં બને તે માટે ઉદ્યમીઓ તથા સ્ટાર્ટઅપ્સે આગળ આવવાની જરૂર છે.
દેશ માટે રિઝોલ્યુશન લઇએ
તમામ લોકોને અપીલ છે કે, એક યાદી બનાવો અને નક્કી કરો કઇ ચીજ છે જે વિદેશી ચીજે આપણને તેના ઉપયોગ કરવા માટે મજબૂર કર્યા છે તેનો ભારતીય પર્યાય શોધીને ભારતીય પ્રોડક્ટના ઉપયોગને વધુ પ્રાધાન્ય આપીએ. નવા વર્ષે પોતાના દેશ માટે રિઝોલ્યુશન લઇએ.
ઉલ્લેખનીય છે કે, માસિક રેડિયો કાર્યક્રમની આ 72મી કડી છે અને તે આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્કથી પ્રસારિત કરાઇ હતી. આ પહેલાં પીએમ મોદીએ 30 નવેમ્બરના રોજ મન કી બાત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા.
કોરોના વાયરસને કારણે વર્ષ 2020 ખૂબ જ ઉથલ-પાછલ ભરેલું રહ્યું. આવી સ્થિતિમાં પીએમએ ટ્વિટ કરીને લખ્યું, 'પાછલા વર્ષને તમે કેવી રીતે જોશો? તમે 2021 માં શું જોવા માંગો છો? વર્ષ 2020 ની છેલ્લી મન કી બાતમાં 27 ડિસેમ્બરના રોજ આ શેર કરો. MyGov, NaMo Appપર લખો અથવા તમારા સંદેશને 1800-11-7800 પર રેકોર્ડ કરો. ' મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી વિવિધ મુદ્દાઓ વિશે વાત કરે છે. મન કી બાતમાં પીએમ મોદીનું સંબોધન ડીડી, ઓલ ઇન્ડિયા રેડિયો, નમો મોબાઇલ એપ દ્વારા સાંભળી શકાય છે.