કૃષિ કાયદાને લઈને એક મહિનાથી ખેડૂતોનું આંદોલન અને કેન્દ્ર સરકારની વાતચીત વચ્ચે આજે પીએમ મોદી સવારે 11 વાગે 2020ના વર્ષની છેલ્લી એટલે કે 72મી વખતની મન કી બાત કરશે. જેમાં આશા રાખવામાં આવી રહી છે કે ખેડૂતોના મુદ્દે દેશને સંબોધન કરી શકે છે.
PM મોદી સવારે 11 વાગે કરશે મન કી બાત
PM મોદી આ વર્ષની અંતિમ મન કી બાત કરશે
આંદોલનકારી ખેડૂતોએ કરી હતી આ જાહેરાત
ઉલ્લેખનીય છે કે, માસિક રેડિયો કાર્યક્રમની આ 72મી કડી હશે. તેને આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્કથી પ્રસારિત કરાશે. આ પહેલાં પીએમ મોદીએ 30 નવેમ્બરના રોજ મન કી બાત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા.
લોકો સવારે 11 વાગે ડીડી ભારતી પર પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમનું સાંકેતિક ભાષા સંસ્કરણને જોઈ શકે છે. આ સિવાય મન કી બાતના ક્ષેત્રીય સંસ્કરણોને ઓલ ઈન્ડિયા રેડિયોના સંબંધિત સ્ટેશન દ્વારા પીએમ મોદીના પ્રસારણના બાદ તે જ દિવસે રાતે 8 વાગે ફરીથી પ્રસારિત કરાય છે.
આંદોલનકારી ખેડૂતોએ કરી હતી આ જાહેરાત
કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા આંદોલનકારીઓએ આ પ્રસારણ સમયે થાળી અને તાળી વગાડીને વિરોધ જાહેર કરવાનું એલાન પહેલાંથી જ કરી દીધું છે. એવામાં જોવાનું રહે છે કે તેમનો અંતિમ નિર્ણય શું રહે છે. જો કે તેઓ સરકાર સાથે વાતચીત માટે તૈયાર રહેવાના છે. પણ એક મહિનાથી દિલ્હીની બોર્ડર પર નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર પ્રદર્શન કરી રહ્યા છે.