વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આગરામાં રેલીને સંબોધનની સાથે ઉત્તર પ્રદેશમાં ભાજપના ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના બીદરથી આગરા પહોંચશે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદી અહીં અનેક પરિયોજનાઓનું ઉધ્ધાટન કરે તેવી સંભાવના છે. તેની સાથે પીએમ મોદી સોલાપુરમાં 3 168 કરોડ રૂપિયાની આવાસીય પરિયોજનાઓનું ઉધ્ધાટન કરશે. પીએમ મોદી સોલાપુરમાં એક જનસભાને સંબોધન કરશે.
ભાજપના સ્થાનિક નેતાઓને કોઠી બજાર મેદાનમાં યોજાનારી આ જનસભામાં લાખો સમર્થકો પહોંચશે તેવી આશા છે. ભાજપ દ્વારા શહેરમાં વડાપ્રધાન મોદીના હોર્ડિંગ્સ લગાવામાં આવ્યાં છે.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગરામાં જનસભાને સંબોધન કરશે તેમજ સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ રામ નાઇક સહિત પ્રદેશ સરકારના ઘણા પ્રધાનો હાજર રહેશે.