PM મોદીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલની મદદથી દેશવાસીઓને માસિક રેડિયો કાપ્યક્રમ મન કી બાત સાંભળવાની અપીલ કરી છે. પીએમ અને તેમની ટીમે સોશ્યલ મીડિયા અને અન્ય માધ્યમો પર વિચાર માંગ્યા હતા. એક દિવસ પહેલાં પીએમ મોદીએ બિહાર રેલીમાં વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસની વિરુધ્ધમાં પણ પ્રચાર કર્યો હતો.
પીએમ મોદીએ સાસારામથી બિહારમાં પોતાની ચૂંટણી રેલીની શરૂઆત કરી છે. આ પહેલાં રાષ્ટ્રજોગ સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે એ ન ભૂલવું કે લોકડાઉન ભલે જતું રહ્યું પણ વાયરસ ગયો નથી. તેઓએ કહ્યું કે થેલ્લા 7-8 મહિનાથી ભારતીયોના પ્રયાસોના કારણે સ્થિતિ સંભાળી શકાઈ છે. તેને બગડવા દેવાની નથી પણ વધારે સુધારવાની છે.
કૃષિ કાયદા પર પણ કરી હતી વાત
ગઈ વખતે 27 સપ્ટેમ્બરે મન કી બાતમાં પીએમ મોદીએ નવા કૃષિ કાયદાની વાત કરી હતી. પીએમ મોદીએ કૃષિ કાયદાનો પ્રચાર કર્યો હતો. કહ્યું હતું કે ફળ-શાકને, ક્યાંય પણ કોઈને પણ વેચવાની તાકાત છે અને આ તાકાત જ તેમની પ્રગતિનો આધાર છે.