ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર સાથેથી મોડી રાતે સંપર્ક તુટતા ISRO સહિત સમગ્ર દેશમાં હતાશા ફેલાઈ હતી. તે વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ બેંગલુરૂના ISRO સેન્ટર પરથી વહેલી સવારે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. મોદીએ કહ્યું મિત્રો ચંદ્રયાન-2 મિશનમાં ભલે અડચણો આવી પણ આપણી હિંમત ઓછી નથી થઈ. આ સાથે ISROના વૈજ્ઞાનિકોની હિંમત વધારતાં કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે તો અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય.
PM નરેન્દ્ર મોદીનું ISRO ખાતેથી સંબોધન...
ઇસરોના વડા કે. સીવન પીએમ મોદીને ભેટીને રડ્યાં
હું આગામી મિશન માટે શુભેચ્છા પાઠવું છું
વૈજ્ઞાનિકો પ્રેરણાનો સમુદ્ર છે
હું વૈજ્ઞાનિકોને કહેવા માગુ છું કે દેશવાસીઓ તમારી સાથે છે
પરિણામથી નિરાશ થયા વિના લક્ષ્ય તરફ આગળ વધવુ એ આપણી પરંપરા છે
ઇસરો હાર ન માનનરી સંસ્થા રહી છે
આપણી પરંપરાઓમાં ક્યારે હાર નથી રહી આપણે આગળ વધવાનું છે
દરેક પ્રયાસ સફળતા નજીક પહોંચવાનો રસ્તો છે
‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય
વૈજ્ઞાનિકો પથ્થર પર રેખા દોરનારા હોય છે
તમે તમારી જવાબદારી નિષ્ઠાથી નિભાવી છે
આગળના સમયમાં અનેક તકો રહેલી છે
હું અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારને વંદન કરુ છું
અનેક નિરાશામાં આશા છુપાયેલી છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું મા ભારતીની જય માટે આપણાં વૈજ્ઞાનિકોએ સંઘર્ષ કર્યો
PM મોદીએ કહ્યું મિત્રો ભલે અડચણો આવી પણ આપણી હિંમત ઓછી નથી થઈ
દેશજોગ સંબોધન કરતાં મોદીએ કહ્યું હું વૈજ્ઞાનિકોની મનોસ્થિતિને સમજતો હતો
મોદીએ ત્રણ વખત ભારત માતા કી જયના નારાથી સંબોધન શરૂ કર્યું