કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખેડૂતો સાથે સંવાદ કરશે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ચલાવામાં આવી રહેલા ખેડૂત સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. જેમાં 23 હજાર પંચાયતના ખેડૂતો સામેલ થશે. કૃષિ કાયદાને લઇને પીએમ મોદી અહીં પોતાની વાત રાખશે. આ અગાઉ હાલમાં જ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને પત્ર લખી આશ્વાસન આપ્યું હતું.
ખેડૂતો સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરશે
રાજ્યના 35 લાખ ખેડૂતોના ખાતામાં 1600 કરોડ રૂપિયા જમા કરાશે
કૃષિ કાયદા પર ખેડૂતોના વિરોધ વચ્ચે સરકાર તરફથી ખેડૂતો સાથે સંવાધ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના ખેડૂતોને સંબોધન કરશે. શિવરાજ સરકાર દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના હેઠળ પીએમ મોદી અંદાજે 23 હજાર પંચાયતને ખેડૂતનો સંબોધન કરશે.
पीएम श्री @narendramodi 18 दिसंबर 2020 को वीडियो कॉन्फ़्रेंसिंग के माध्यम से मध्य प्रदेश में होने वाले किसान सम्मेलनों को संबोधित करेंगे।
દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના ખેડૂતોને સંબોધન કરશે. રાજ્યની 23 હજાર ગ્રામ પંચાયતોમાં પ્રસારણ કરવામાં આવશે. રાજ્યના અંદાજે 35 લાખ ખેડૂતોના ખાતામાં 1600 કરોડ રુપિયા જમા કરાશે.
મધ્ય પ્રદેશના ખેડૂતોને 2020માં ખરીફ પાકને થયેલા નુકસાનનું વળતર પણ ચૂકવાશે. આ સાતે 2 હજાર પશુ અને મતસ્ય પાલક ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરશે.
કૃષિ મંત્રીએ ખેડૂતોને લખ્યો પત્ર
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની પ્રદર્શન સતત 23 દિવસથી ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના આઠ પાનાનો એક ખુલો પત્ર લખ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા દેશવાસીઓને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનો ખૂડોતના નામ લખાયલો પત્ર વાંચવા અપીલ કરી છે.
कृषि मंत्री @nstomar जी ने किसान भाई-बहनों को पत्र लिखकर अपनी भावनाएं प्रकट की हैं, एक विनम्र संवाद करने का प्रयास किया है। सभी अन्नदाताओं से मेरा आग्रह है कि वे इसे जरूर पढ़ें। देशवासियों से भी आग्रह है कि वे इसे ज्यादा से ज्यादा लोगों तक पहुंचाएं। https://t.co/9B4d5pyUF1
કૃષિ મંત્રી @nstomarજીએ ખેડૂત ભાઇ-બહેનોને પત્ર લખીને પોતાની ભાવના પ્રકટ કરી છે. એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા ખેડૂત (અન્નદાતાઓ)ને મારો આગ્રહ છે કે તેઓ જરુરથી વાંચે. દેશવાસીઓન પણ આગ્રહ છે કે તેઓ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડે.
કૃષિમંત્રી તોમરે કહ્યું...
કૃષિ કાયદાને ઐતિહાસિક ગણાવતાં તોમરે કહ્યું કે તેમની અનેક રાજ્યોના ખેડૂતો સાથે વાત થી અને ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું છે. તેઓ ખુશ છે અને તેમને એક નવી આશાનો અહેસાસ થયો છે. દેશના અલગ અલગ ખેડૂતોના ઉદાહરણ પણ મળ્યા છે જેઓએ નવા કાયદાનો લાભ લેવાનું શરૂ કરી દીધુ છે. તોમરે કહ્યું કે કૃષિ મંત્રી હોવાના કારણે મારું કર્તવ્ય છે કે હું દરેક ખેડૂતનો ભ્રમ દૂર કરું. મારું દાયિત્વ છે કે સરકાર અને ખેડૂતની વચ્ચે દિલ્હી અને આસપાસની જૂઠાણાની દિવાલને હટાવી સચ્ચાઈ ખેડૂતો સુધી પહોંચાડું.
કૃષિ મંત્રી તોમરે આપ્યા 8 આશ્વાસન
- ખેડૂતોની જમીનને કોઈ ખતરો નહીં રહે, માલિકી હક તેમનો રહેશે.
- ખેડૂતોને નક્કી સમયે વળતર અપાશે.
- નક્કી સમયે વળતર નહીં મળતા દંડ કરાશે.
- ખુલ્લા બજારમાં સારા રૂપિયા પર પાક વેચવાનો વિકલ્પ પણ મળશે.
- MSP ચાલુ છે અને ચાલુ રહેશે.
- મંડિઓ ચાલુ છે અને ચાલુ રહેશે.
- સોદા પાક માટે થશે, જમીન માટે નહીં, ખેડૂતો ઈચ્છે ત્યારે તેને ખતમ કરી શકે છે.
- APMC મંડી કાયદાથી બહાર રહેશે.