કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કર્યું. જેમાં અંદાજે 23 હજાર પંચાયતના ખેડૂતો સામેલ થયા. હાલમાં રાજ્ય સરકાર કિસાન સંમેલનનું આયોજન કરી રહી છે.
જેમાં પીએમ મોદીએ ખેડૂતોને સંબોધન કરતાં કહ્યું કે કુદરતી આફતોમાં ખેડૂતોને થયેલા નુકસાનની રકમ તેઓના બેંકના ખાતામાં સીધી જમાઇ થઇ છે. હાલ તેમાં કોઇ વચોટિયા છે નહીં.
ખેડૂતોને પીએમ મોદીનો સંદેશ
પીએમ મોદીએ ખેડૂતોને સંદેશ આપતા કહ્યું કે જો કોઇ પણને આશંકા છે, તો અમે નતમસ્તક હાથ જોડીને દરેક મુદ્દા પર વાત કરવા તૈયાર છીએ. દેશના ખેડૂતો, ખેડૂતોનું હિત અમારા માટે સર્વોચ્ચ છે. પીએમ મોદીએ કહ્યું 25 ડિસેમ્બરના રોજ એકવાર ફરી દેશના ખેડૂતો સાથે સંવાદ કરીશ.
ન MSP બંધ થશે ન ખતમ : PM મોદી
PM મોદીએ સંબોધન દરમ્યાન કહ્યું MSP ક્યારેય બંધ થવાની નથી કે ખતમ પણ થવાની નથી. જો MSP ખતમ જ કરવી હોત તો પછી સ્વામિનાથન કમિશન લાગુ જ કેમ કર્યુ હોત. ખેડૂતોના હિતની વાતો કરનારા લોકો, ખોટા આંસુ સારનારા લોકો કેવા છે, તેનો પુરાવો સ્વામીનાથન કમિશનનો અહેવાલ છે. આ લોકોએ આ અહેવાલ 8 વર્ષ સુધી દબાવીને બેસી રહ્યા.
અગાઉની સરકારને લાગ્યું કે ખેડૂતો પર વધારે ખર્ચ કરવો પડ્યો નથી, તેથી અહેવાલને દબાવીને રાખ્યો. અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા માને છે. અમે સ્વામિનાથન કમિશનનો અહેવાલ નીકાળ્યો. ખેડુતોને દોઢ ગણું MSP આપ્યું. ખેડુતો સાથે છેતરપિંડીનું ઉદાહરણ દેવું માફીનું વચન છે.મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા કહેવાતું હતું કે દેવુંમાફ કરી દઇશું, પરંતુ કશું થયું નહીં. રાજસ્થાનના લાખો ખેડુતો હજી પણ દેવા માફીની રાહ જોઈ રહ્યા છે. મને લાગે છે કે નિર્દોષ ખેડૂતોની સાથે આટલી હદ સુધી છળ- કપટ કેવી રીતે કરી શકે.
ખેડૂતોના ખાતામાં પહોંચ્યા પહેલા કરતા વધારે રુપિયા
રાજનીતિ માટે ખેડૂતોનો ઉપયોગ કરનારા લોકોએ ખેડૂતોની સાથે કેવુ વર્તન કર્યું, તેનું એક વધુ ઉદાહરણ છે, કઠોળની ખેતી.
ગત સરકારે પાંચ વર્ષમાં ખેડૂતોને ડાંગર અને ઘઉંના MSP પર ખરીદીના બદલે 3 લાખ 74 હજાર કરોડ રુપિયા મળ્યાં હતા. અમારી સરકારે એટલા જ વર્ષમાં ઘઉં અને ડાંગરની ખરીદી કરીને ખેડૂતોને 8 લાખ કરોડ રુપિયાથી વધારે આપ્યાં છે.
એટલે અમારી સરકાર ન માત્ર MSPમાં વૃદ્ધિ કરી, પરંતુ વધારે માત્રામાં ખેડૂતોની ઉપજને MSP પર ખરીદી કરી છે. જેનો સૌથી મોટો લાભ એ થયો છે કે ખેડૂતોના ખાતામાં પહેલા કરતા વધારે પૈસા પહોંચ્યાં છે.
ખેડૂતોને MSP પર ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે
આજકાલ ખેડૂતોને વધારે પૈસા મળી રહ્યાં છે, દાળની કિંમત પણ ઓછી થઇ ગઇ છે, જેનાથી ગરીબને સીધો ફાયદો થઇ રહ્યો છે. જે લોકો ખેડૂતોને ન MSP આપી શક્યા, ન MSP પર સરખી રીતે ખરીદી શક્યા, તેઓ MSP પર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે મને ક્રેડિડ ના આપો, તમારા જૂના ચૂંટણીઢંઢેરાના ક્રેડિટ આપુ છું. હું ખેડૂતોની ભલાઇ ઇચ્છું છું, તમે ખેડૂતોને ભ્રમિત કરવાનું છોડી દો. આ કાયદો લાગુ થયાને 6 મહિનાથી વધારે સમય થઇ ગયો, પરંતુ અચાનક વિપક્ષ એવા મુદ્દાને ઉઠાવી રહી છે. ખેડૂતોના ખભા પર બંદુક રાખવામાં આવી રહી છે.
અમે ગત સરકારની સરખામણીએ વધારે આપી MSP
ગત સરકારના સમયમાં મગ દાળ પર MSP હતી 4500 રૂપિયા પ્રતિ ક્વિંટલ. અમારી સરકાર મૂંગ દાળ પર અંદાજે 7200 રુપિયા MSP આપી રહી છે
ગત સરકારના સમયમાં ચણા પર MSP હતી 3100 રૂપિયા પ્રતિ ક્વિંટલ. અમારી સરકાર ચણા પર અંદાજે 5100 રુપિયા MSP આપી રહી છે
ગત સરકારના સમયમાં મસૂરની દાળ પર MSP હતી 2950 રૂપિયા પ્રતિ ક્વિંટલ. અમારી સરકાર મૂંગ દાળ પર અંદાજે 5100 રુપિયા MSP આપી રહી છે
ગત સરકારના સમયમાં જવાર પર MSP હતી 1520 રૂપિયા પ્રતિ ક્વિંટલ. અમારી સરકાર મૂંગ દાળ પર અંદાજે 2640 રુપિયા MSP આપી રહી છે
ગત સરકારના સમયમાં અનાજ પર MSP હતી 1310 રૂપિયા પ્રતિ ક્વિંટલ. અમારી સરકાર મૂંગ દાળ પર અંદાજે 1870 રુપિયા MSP આપી રહી છે
ગત સરકારના સમયમાં ઘઉં પર MSP હતી 1400 રૂપિયા પ્રતિ ક્વિંટલ. અમારી સરકાર મૂંગ દાળ પર અંદાજે 1975 રુપિયા MSP આપી રહી છે
કોંગ્રેસે દેશમાં ખેડૂતોની સાથે છેતરપિંડી કરી
આજે યુરિયાની અછતના સમાચાર નથી આવતા, યુરિયા માટે ખેડૂતને લાઠીચાર્જ સહન કરવો પડતો નથી. અમે ખેડૂતોની આ તકલીફને દૂર કરી ઇમાનદારીથી કામ કર્યું. અમે કાળાબજારી રોકી, કડક પગલા ઉઠાવ્યાં.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી શું-શું બહાના બતાવ્યાં. આ મધ્ય પ્રદેશના ખેડૂતો મારાથી પણ વધારે જાણે છે. રાજસ્થાનમાં આજે પણ ખેડૂતો લોન માફીની રાહ જોઇ રહ્યાં છે.
આપણ દેશમાં ખેડૂતોની સાથે છેતરપિંડીનું સૌથી મોટુ ઉદાહરણ છે, કોંગ્રસ સરકાર દ્વારા આપવામા આવેલી લોન માફી જ્યારે 2 વર્ષ પહેલા મધ્ય પ્રદેશમાં ચૂંટણી યોજાવાની હતી ત્યારે 10 દિવસની અંદર લોનમાફીનું વચન આપવામાં આવ્યું હતું. કેટલા ખેડૂતોને લોનમાફી મળી?