વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્રના કોન્ફરન્સ ઓધ ધ પાર્ટીઝ એટલે કે કૉપના 14માં અધિવેશનને સંબોધન કરશે. આ દરમિયાન જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા અને વધતા રણ પર ચિંતન કરવામાં આવશે.
આ સંમેલનમાં અંદાજે 80 દેશના મંત્રી, વૈજ્ઞાનિક અને સ્વયંસેવી સંસ્થાઓ સામેલ થશે. આ કાર્યક્રમનું આયોજન ગ્રેટર નોઇડાના ઇન્ડિયા માર્ટ એન્ડ એક્સ્પોમાં કરવામાં આવશે.
દેશમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયત્નોને વિશ્વ સમક્ષ રાખવામાં આવશે. ગત એક અઠવાડિયાથી દુનિયાભરના તજજ્ઞો આ મુદ્દાઓ પર મંથન કરી પોતાના અનુભવોને જણાવી રહ્યાં છે જેતી પૃથ્વીને આવનારા ખતરાથી બચાવી શકાય.
આ વખતે કોન્ફેરન્સ ઓધ પાર્ટીઝની મેજબાની ભારતને મળી છે. 2 સપ્ટેમ્બરથી શરૂ થયેલા કૉપ-14માં અત્યાર સુધીમાં દુનિયાભરના વૈજ્ઞાનિક, વિશેષજ્ઞ મુદ્દાઓ પર પોતના દેશોની ચિંતા, સમસ્યાઓનું નિવારણ માટેના ઉપાયો અને અનુભવો વ્યક્ત કર્યા છે.
13 સપ્ટેમ્બર સુધી ચાલનારા કોપ-14થી જળવાયુ પરિવર્તન, જૈવ વિવિધતા, ઘટતા રણને લઇને વિશ્વની અલગ સમસ્યાઓનો સામનો કરવાને લઇને રોડમેપ સામે આવી શકે છે. જેમા ભારત મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
જેને લઇને આ વખતે કોપ-14ની મેજબાની ભારતને આપવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતમાં યોજાનારી આ ઉચ્ચ સ્તરીય સત્ર પર દુનિયાની નજર રહેલી છે.