પ્રધાનમંત્રી મોદી આવતીકાલે 16 ડિસેમ્બરે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના આણંદમાં ખેડૂતોને સંબોધિત કરવાના છે.
16 ડિસેમ્બરે આણંદના ખેડૂતો સાથે પીએમ મોદીની બેઠક
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતોને કરશે સંબોધિત
ખેડૂતોને કુદરતી ખેતીના લાભ અને રીત સમજાવશે
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ખેડૂતોને સંબોધિત કરશે. નેશનલ સમિટ ઓન એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ પરના વિદાય સત્રને પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આણંદના ખેડૂતોને સંબોધિત કરશે. સમિટનું મુખ્ય ધ્યાન કુદરતી ખેતી છે. આ દરમિયાન કુદરતી ખેતીના લાભો સંબંધિત તમામ જરુરી માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવશે.
આણંદના 5000 ખેડૂતો ભાગ લેશે
આ સમિટમાં 5000 ખેડૂતો હાજરી આપશે. આ ઉપરાંત ઈન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, કૃષિ વિજ્ઞાન અને ATMA નેટવર્ક સહિત 80 કેન્દ્રીય યુનિવર્સિટીઓ આ ઈવેન્ટનો ભાગ બનવા ખેડૂતોને સાંકળશે અને કુદરતી ખેતીના લાભો અને પ્રણાલીઓ સમજશે. લોકો પણ દૂરદર્શન પર આ કાર્યક્રમને નિહાળી શકશે, દૂરદર્શન પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે તેવુ કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું.
PM will address farmers during valedictory session of National Summit on Agro&Food Processing on De 16 in Anand,Gujarat via video conferencing. Summit brings in focus on natural farming. Farmers will be provided all requisite info detailing the benefits of natural farming methods pic.twitter.com/ChZAZv4Alj
પ્રધાનમંત્રી મોદી આણંદના ખેડૂતોને કુદરતી ખેતીના લાભ અને રીતોની જાણકારી સમજવાશે. બે દિવસના સત્રનો આવતીકાલે છેલ્લો દિવસ છે. પ્રધાનમંત્રી મોદી ખેડૂતોના કલ્યાણનું વીઝન ધરાવે છે અને તેને પગલે કેન્દ્ર સરકાર સક્રિય થઈ છે. ખેડૂતોના પાકની ઉત્પાદકતા વધારવા પણ સરકાર કટિબદ્ધ છે. કૃષિ સેક્ટરની કાયાપલટ કરવા માટે સરકારે ઘણા પગલાં ઉઠાવ્યા છે અને ખેડૂતોની આવક વધારી છે.