મોદીએ કહ્યું કે, 'ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિને હવે છોડી દીધી છે. નહીં તો અવારનવાર પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું. તેઓ કહેતા હતાં કે અમારી પાસે ન્યૂક્લિઅર બટન છે. તો ભારત પાસે શું છે ભાઇ? આ પરમાણુ બોમ્બ અમે કંઇ દિવાળી માટે રાખેલ છે કે શું?
બાડમેરઃ પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પહેલાંની જેમ હવે ભારત પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીથી નથી ડરતું. રાજસ્થાનનાં બાડમેરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ પડોશી દેશને ચેતવણી આપી છે કે અમે પરમાણુ બોમ્બ કંઇ દિવાળી માટે નથી મૂકી રાખેલ.
#WATCH Prime Minister Narendra Modi in Barmer, Rajasthan: India has stopped the policy of getting scared of Pakistan's threats. Every other day they used to say "We've nuclear button, we've nuclear button".....What do we have then? Have we kept it for Diwali? pic.twitter.com/cgSLoO8nma
પ્રધાનમંત્રીએ રવિવારનાં રોજ બાડેમરમાં પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું કે, 'ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ હવે મૂકી દીધી છે. નહીં તો પાકિસ્તાન તો અવારનવાર પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું. તેઓ કહેતા હતાં કે અમારી પાસે ન્યૂક્લિયર બટન છે. તો ભારત પાસે શું છે ભાઇ? આ પરમાણુ બોમ્બ અમે કંઇ દિવાળી માટે રાખેલ છે કે શું?' તેઓએ કહ્યું કે, અમે ઘરમાં ઘુસીને આતંકવાદીઓને માર્યા. ચોટ ત્યાં લાગી અને દર્દ અહીં થયું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "આજનું ભારત યુદ્ધ વિના પાકિસ્તાનની સરહદની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદીઓને ઠાર કરી રહ્યું છે. અમે ત્રાસવાદીઓનાં મનમાં ડર ઊભો કર્યો. શ્રીલંકામાં આજે આત્મઘાતી હુમલો થયો છે. પાકિસ્તાનને મળેલ ખુલી છુટ્ટીને કારણે દેશમાં આતંકવાદી હુમલા હવે સામાન્ય વાત હતી. તમારા મતને લીધે જ આ આતંકવાદી હુમલામાં ઘટાડો થયો છે.
અમે પાકિસ્તાનનાં તમામ વારસદારોને દૂર કર્યા. તેમને વાટકા લઇને વિશ્વભરમાં ઘુમવા માટે મજબૂર કર્યા. અમારી સરકાર દરમિયાન ભારત વિશ્વની એ શક્તિમાં શામેલ થયું કે જેની પાસે પાણી, જમીન, આકાશ એમ ત્રણેય જગ્યાઓથી ન્યૂક્લિયર હુમલો કરવાની ક્ષમતા છે. તાજેતરમાં એક મોટું કામ કરી નાખ્યું, આપણે અંતરિક્ષમાં પણ આપણાં સંસાધનોને બચાવવા માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે."