ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદીએ સંસદમાં હંગામો કરવાની બાબતને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે આજે પણ વિપક્ષ સાંસદોએ હંગામો કરતાં બંને સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો
હંગામો કરવાની બાબતને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા
75 ગામડાઓમાં જઇ 75 કલાક પસાર કરો
સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો
દિલ્લીમાં ભાજપની સંસદીય દળની બેઠકમાં PM મોદીએ સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો. આ બેઠકમાં PM મોદીનો સાંસદોને સંદેશ આપ્યો. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સાંસદોને આ સૂચન આપવમાં આવ્યા. તેમણે આ સૂચન આપતા કહ્યું કે સાંસદો ગામડાઓમાં જઈ 75 કલાક વિતાવે અને ગામડાને લોકોને જાગૃત કરે. આ સંદેશ આપતા તેમણે એ પણ ઉમેર્યું કે આપણે સૌએ જનભાગીદારીને વધુ આગળ વધારવી જોઇએ. PM મોદીએ આ બેઠકમાં કહ્યું કે આઝાદીના 100 વર્ષ થયે લોકોને સંદેશ મળે કે દેશ માટે જીવવું છે, તેથી 75 ગામડાઓમાં જઇ 75 કલાક પસાર કરો.
હંગામો કરવાની બાબતને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા
ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદીએ સંસદમાં હંગામો કરવાની બાબતને લઈ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. સાંસદની બેઠક શરૂ થતાં પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષ બંને સદન ચાલવા જ નથી થતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષની આ માનસિકતાને જનતા સામે લાવવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ PM મોદીએ સાંસદોની આઝાદીની 75મી વર્ષગાંઠ માટેનો રોડમેપ રજૂ કર્યો.
સદનને 11:45 સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું
મૂળ ઘટનામાં આજે ફરી એક વાર સાંસદોએ પેગાસસ જાસૂસી રિપોર્ટ પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નારેબાજી કરી. જેને ધ્યાનમાં લઈ આ કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. લોકસભામાં આ મામલે વિપક્ષમાં હંગામો હજુ પણ શરૂ છે, જેના કારણે લોકસભામાં વિપક્ષી નારેબાજીને લઈ સદનને 11:45 સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું