યુપીનો હાથરસ દુષ્કર્મ કેસનો વિવાદ વધારે વકરી રહ્યો છે. દેશમાં આક્રોશનો માહોલ છે. જેના પગલે પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી છે. સીએમ યોગીએ કહ્યું કે પીએમએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
પીએમ મોદીએ સીએમ .યોગી આદિત્યાનાથ સાથે વાત કરી
યોગીએ હાથરસ કેસની તપાસ માટે SITનું ગઠન કર્યું
યોગીએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવા કહ્યું છે
હાથરસ ગેંગરેપના મામલે પીએમ મોદીએ સીએમ .યોગી આદિત્યાનાથ સાથે વાત કરી છે. એ બાદે યોગીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તેમજ યોગીએ કહ્યું કે દોષિતોને કડક સજા આપવામાં આવશે.
યુપીના હાથરસમાં દુષ્કર્મનો મામલે સીએમ યોગીએ હાથરસ કેસની તપાસ માટે SITનું ગઠન કર્યું છે. ગૃહસચિવની અધ્યક્ષતામાં SITનું ગઠન કરવામાં આવ્યું છે. SITમાં દલિત અને મહિલા અધિકારી સામેલ કરાયા છે. તેમજ સીએમ યોગીએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવા કહ્યું છે.
બીજી તરફ પરિવારનો પોલીસ પર આક્ષેપ છે કે પોલીસે તેમની ઈચ્છા વિરુદ્ધ તેમને ઘરમાં પુરીને દીકરીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પરિવારે કહ્યું હતું કે અમે સવારે રીતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવા માગતા હતા. ત્યારે પોતાના બચાવમાં પોલીસે કહ્યું કે પરિવારજનોને પૂછીને અંતિમ સંસ્કાર કરાયા હતા. પરિવારજનોની મંજૂરી બાદ અંતિમ સંસ્કાર કરાયા હતા.