ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. જેથી PM મોદીએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી સાથે વાતચીત કરી પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યું હતું.
ઉત્તરાખંડના CM સાથે PM મોદીએ કરી વાત
નૈનીતાલમાં વાદળ ફાટતા પરિસ્થિતી વણસી
રાજ્ય મંત્રી અજય ભટ્ટ સાથે પણ કરી વાત
ઉત્તરાખંડમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી છે. હાલ ત્યા શું પરિસ્થિતી છે તે અંગે તેમણે સીએમ સાથે ચર્ચા કરી હતી. CM ધામી સિવાય તેમણે રાજ્ય મંત્રી અજય ભટ્ટ સાથે પણ ચર્ચા કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન પર હાલ ભારે અસર પડી છે.
અત્યાર સુધીમાં 9 લોકોના મોત
ભારે વરસાદને કારણે અહીયા નદી નાળા છલકાઈ ગયા છે સાથેજ 9 લોકોના મોત થયા છે. સોમવારે સીએમ ધામીએ લોકોને માહિતી આપી હતી કે તેઓ દરેક પરિસ્થિતીનું નિરીક્ષણ કરી રહ્યા છે. જેમા તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને સમગ્ર મામલે માહિતી આપી હતી.
અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
વધુમાં ગઈકાલે પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે તેઓ દરેક જિલ્લાની સ્થિતી પર નજર રાખી રહ્યા છે. સાથેજ જે યાત્રીઓ ફસાઈ ગયા છે તેમની પણ તેઓ મદદ કરી રહ્યા છે. નૈનીતાલના રામગઢ જિલ્લામાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. પરિસ્થિતીને જોતા પોલીસ અને પ્રશાસન પણ સ્થળ પર પહોચી ગઈ છે.
ત્રણ રસ્તાઓ ભૂસ્ખલનને કારણે બંધ
ગત સોમવારે નૈનીતાલ જવા વાળા ત્રણ રસ્તાઓ ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયા છે. ત્યારે શહેરના બાકીના પણ ઘમા બધા રસ્તાઓ બંધ તઈ ગયા છે. ઘમા બધા યાત્રાળુંઓ અહીયાની હોટલોમાં ફસાઈ ગયા છે. પાણીના ભારે વહેણને કારણે નૈનીતાલ અને ઉધમસિંહ નગર પંચાયત જિલ્લાને જોડતો પુલનો ભાગ પણ તૂટી ગયો છે.
ભારે વરસાદથી કેરળમાં જનજીવન ખોરવાયું
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ અને કેરળમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. કેન્દ્ર સરકાર પણ આ રાજ્યો પર નજર રાખી રહી છે. સાથેજ શક્ય બને તેટલી મદદ કરલામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમોને રેસ્ક્યં માટે મોકલી દેવામાં આવી છે. જેઓ ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે,