બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / PM મોદીએ પંજાબમાં એકલા ચૂંટણી લડવા પર કરી વાત, અકાલી દળ સાથે અલગ થવાને ગણાવી ભાજપની રણનીતિ

લોકસભા ચૂંટણી 2024 / PM મોદીએ પંજાબમાં એકલા ચૂંટણી લડવા પર કરી વાત, અકાલી દળ સાથે અલગ થવાને ગણાવી ભાજપની રણનીતિ

Last Updated: 01:56 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેના કારણે પરંપરાગત અકાલી મતદારો પણ તેમનાથી નારાજ થયા છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની વચ્ચે PM મોદીએ પંજાબમા એકલા હાથે ચૂંટણી લડવા પર વાત કરી છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ પંજાબમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની ભાજપની રણનીતિ ગણાવી છે. વડા પ્રધાને કહ્યું કે, અકાલી દળ સાથે અમારું અલગ થવું એ એક સભાન નિર્ણય છે અને તેની વ્યૂહાત્મક અસરો છે. વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેના કારણે પરંપરાગત અકાલી મતદારો પણ તેમનાથી નારાજ થયા છે. તેમણે કહ્યું કે, પ્રકાશ સિંહ બાદલ પોતે વિધાનસભા ચૂંટણી હારી ગયા છે. તે આ ઉંમરે પણ હારી ગયા. આનાથી અકાલી દળના સમર્થકોને પણ મોટો ફટકો પડ્યો. પ્રકાશ સિંહ બાદલના નિધન બાદ અકાલી દળની રાજનીતિમાં જે ખાલીપો સર્જાયો છે તેને ભરવો મુશ્કેલ બનશે. આ સિવાય અકાલી દળમાં હવે વિઘટન થવા લાગ્યું છે.

PM મોદીએ એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અકાલી દળના ઘણા અનુભવી નેતાઓએ છોડી દીધી છે. પછી તેઓ સતત ચૂંટણી હારી રહ્યા છે. એટલું જ નહીં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, સમગ્ર ઉત્તર ભારતમાં સારી જીત હોવા છતાં પંજાબમાં ભાજપ કેમ નબળી છે. PM મોદીમોદીએ કહ્યું કે એવું નથી. છેલ્લી બે લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં અમારું પ્રદર્શન જુઓ. ગત વખતે અમે ત્રણ લોકસભા ચૂંટણી લડ્યા હતા અને બે જીત્યા હતા. PM મોદીએ કહ્યું કે, અમે પણ અહીં સત્તામાં ભાગીદાર હતા પરંતુ સંપૂર્ણ નમ્રતાથી કામ કર્યું. અમારી પાસે એવા મંત્રીઓ પણ હતા જેમનું પ્રદર્શન સારું હતું.

જોવા જઈએ તો એક રીતે PM મોદીએ અકાલી દળની નબળાઈ માટે અલગ થવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, લોકો અકાલી દળથી નાખુશ છે. તેમનું સ્તર એવું હતું કે, 2022માં લોકો ખરાબ રીતે મૂંઝવણમાં હતા અને પંજાબના લોકો આમ આદમી પાર્ટીને સત્તામાં લાવ્યા હતા. આવી સ્થિતિમાં અમારા માટે જાતે મહેનત કરવી મહત્વપૂર્ણ હતી. અમારી પાર્ટી માટે એ શક્ય નથી કે રાજ્યમાં લોકો આ હદે નારાજ હોય ​​અને અમે મૌન રહીએ. આ દરમિયાન વડાપ્રધાને AAP અને કોંગ્રેસના ગઠબંધન પર પણ નિશાન સાધ્યું હતું.

વધુ વાંચો : સુપ્રીમ કોર્ટે ભાજપને આપ્યો મોટો ઝટકો, TMC સામે જાહેરાત કેસની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

આ સાથે તેમણે કહ્યું કે આ લોકો દિલ્હીમાં એકતાની વાત કરે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર કોંગ્રેસના નેતાઓને જેલમાં ધકેલી દે છે. કોંગ્રેસીઓ આ લોકોને દિલ્હીના દારૂ કૌભાંડ માટે જવાબદાર માને છે. આ કેવા પ્રકારની એકતા છે? એટલું જ નહીં PM મોદીએ કહ્યું કે, આજે પંજાબની સત્તા એવા લોકોના હાથમાં છે જેમની વિચારસરણી શહેરી નક્સલવાદની છે. આ લોકોને બહાર કાઢવા જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Punjab Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ