વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, પ્રધાનમંત્રી બન્યા બાદ છઠ્ઠી વખત કરશે દર્શન
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ છઠ્ઠી વખત શુક્રવારે ઉત્તરાખંડની મુલાકાતે
PM મોદી મુલાકાત દરમ્યાન કેદારનાથ-બદ્રીનાથમાં પણ પૂજા કરશે
3400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે PM મોદી
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ છઠ્ઠી વખત શુક્રવારે ઉત્તરાખંડની મુલાકાત લેશે. આ દરમિયાન કેદારનાથ અને બદ્રીનાથમાં પણ પૂજા કરવામાં આવશે. આ સિવાય તેઓ 3400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં પાંચ વખત કેદારનાથ જઈ ચુક્યા છે. વડાપ્રધાન તરીકે તેઓ 3 મે 2017ના રોજ પ્રથમ વખત કેદારનાથ ગયા હતા. આ વર્ષે કેદારનાથ ધામના દરવાજા 27મી ઓક્ટોબરે અને બદ્રીનાથ ધામના દરવાજા 19મી નવેમ્બરે બંધ કરવામાં આવશે.
વડાપ્રધાન શુક્રવારે સવારે લગભગ 8.30 વાગ્યે કેદારનાથ મંદિર પહોંચશે અને ત્યાં પૂજા કરશે. આ પછી તેઓ લગભગ 9 વાગ્યે કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિના દર્શન પણ કરવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ મંદાકિની અને સરસ્વતી નદીના કિનારે ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. વડાપ્રધાન કેદારનાથથી ચાલીને લગભગ 11.30 વાગ્યે બદ્રીનાથ પહોંચશે અને ત્યાં મંદિરની પૂજા અને દર્શન કરશે. કેદારનાથમાં બનાવવામાં આવનાર રોપવે 9.7 કિલોમીટર લાંબો હશે. તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. આનાથી આ બંને સ્થળોની મુસાફરીનો સમય અડધો કલાક ઘટશે. અત્યારે આ મુસાફરી છ કલાકથી વધુ સમય લે છે.
વડાપ્રધાન એટીવી વાહન બેસી કરશે મુસાફરી
વડાપ્રધાન મોદી જે વાહન એટીવીમાં બેસી કેદારપુરીની મુલાકાત કરવાના છે તે એટીવી વાહનને એરફોર્સના હેવી કાર્ગો કેરિયર ચિનૂક હેલિકોપ્ટરથી કેદારનાથ ધામ સુધી પહોંચાડવામાં આવ્યું છે. વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ 90ના દાયકામાં કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કેદારનાથ મંદિરથી બે કિમી પહેલા ગરુડચટ્ટી સ્થાન પર યોગ ધ્યાન કર્યું હતું.