કોરોનાના રસીકરણના બીજા ચરણની આજથી શરુઆત થઈ ગઈ છે. આની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. પીએમ મોદી સવારમાં નવી દિલ્હી સ્થિત એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. આની સાથે પીએમ મોદીએ લોકોને કોરોનાની રસી લગાવવા માટે અપીલ કરી હતી.
પીએમ મોદીએ સોમવારે જે રસીનો ડોઝ લીધો છે તે ભારત બાયોટેકની કોવેક્સીન છે
ખાસ વાત એ છે કે પીએમ મોદીએ સોમવારે જે રસીનો ડોઝ લીધો છે તે ભારત બાયોટેકની કોવેક્સીન છે. આ રસીને ભારત બાયોટેકે ડેવલપ કરી છે. વિપક્ષ દ્વારા આ રસીને મંજૂરી આપવા પર અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. સાથે રસીની ગંભીરતા પર નિશાન સાધવામાં આવ્યું હતુ. એટલું જ નહીં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વચ્ચે રસીને લઈને વિવાદ થયો હતો. પરંતુ પીએમ મોદીએ કોવેક્સીન લઈ તમામ પશ્નો પર પુર્ણ વિરામ લગાવી દીધું છે.
સૌથી પહેલા પીએમ મોદી લગાવડાવે વેક્સીન
કોરોના વેક્સીનેશનનું પહેલું ચરણ શરૂ થતાં જ કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓએ કોવેક્સીનની વિશ્વસનીયતાને લઈને પ્રશ્નો કર્યા હતા. કોંગ્રેસના નેતા મનીષ તિવરીએ કહ્યું હતું કે વેક્સીનને માટે ભરોસો કરવા માટે પીએમ આ વેક્સીન લે. તેઓએ કહ્યું કે જો વેક્સીન વિશ્વસનીય છે તો ભાજપના નેતાઓ સૌથી પહેલાં શા માટે લેતા નથી જ્યારે સમય આવ્યો ત્યારે પીએમ મોદીએ વિપક્ષને જવાબ આપવા કોવેક્સીનનો ડોઝ લીદો છે.
કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ કર્યા હતા સવાલ
કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપ્યા બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે કોવેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ થયું નથી, સમજ્યા અને વિચાર્યા વિના તેને પરમિશન આપી દેવાઈ છે જે ખતરનાક હોઈ શકે છે.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે મે એમ્સમાં કોરોનાની રસીનો મારો પહેલો ડોઝ લીધો. આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે. હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે ભારતને કોરોના મુક્ત બનાવે.