લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રખ્યાત અને નામી હસ્તીઓને એક વાર ફરીથી વોટિંગ માટે અપીલ કરી છે. પીએમ મોદીએ આ માટે 'વોટકર' (#VoteKar)નામનું અભિયાન પણ શરૂ કર્યુ છે. પીએમ મોદીએ માત્ર 30 જ મિનિટમાં 16 ટ્વીટ કર્યા છે અને 40 નામી હસ્તીઓ અને સંસ્થાઓને ટેગ પણ કર્યા છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે, મારા સાથી ભારતીયો, સમય આવી ગયો છે કે આપણે અવાજ બુલંદ કરીએ... કે.. વોટકર... આગામી લોકસભા ચૂંટણીમાં સુનિશ્ચિત કરો કે તમે અને તમારો પરિવાર, મિત્ર રેકોર્ડબ્રેક સંખ્યામાં વોટિંગ કરીશું. તમારુ આ પગલું દેશના ભવિષ્ય પર સકારાત્મક અસર પાડશે. મહત્વની વાત છે કે પીએમ મોદીએ એક્ટર અનુપમ ખેર, કબીર બેદી અને ડાયરેક્ટર શેખર કપૂરને ટેગ કર્યા છે.
પીએમ મોદીએ ટ્વીટમાં એવું પણ કહ્યું કે, આગામી ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવે તે માટે અવગત કરશો. આ સિવાય પીએમ મોદીએ એક્ટર ઋત્વિક રોશન અને માધવનને પણ ટેગ કરીને અપીલ કરી છે કે તેઓ વોટિંગ કરીને લોકતંત્રને મજબૂત કરે.
આ સિવાય પીએમ મોદીએ એક્ટર અનિલ કપૂર, અજય દેવગણ અને માધુરી દિક્ષીતને પણ ટેગ કર્યુ છે અને કહ્યું કે, બોક્સ ઓફિસ પર ટોટલ ધમાલ મચાવ્યા બાદ હવે પોલિંગ બૂથ પર ટોટલ ધમાલ મચાવવાનો સમય છે. વોટકર મુવેમેન્ટને સપોર્ટ કરીને તમે ભારતના લોકતંત્રને મજબૂત કરશો. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 લોકસભા ચૂંટણી અગાઉ દેશની જાણીતા પ્રખ્યાત લોકોને એકવાર ફરી અપીલ કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કરવા અપીલ કરી છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ #VoteKar અભિયાન શરૂ કર્યું છે.