ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દાને લઈને રહસ્ય અકબંધ છે ત્યારે વધુ એક નામ ચર્ચામાં ઉમેરાયું છે
મુખ્યમંત્રી પસંદગીને લઇને મોટા સમાચાર
કેબિનેટ મંત્રી આર.સી.ફળદુનું નામ પણ ચર્ચામાં
ધારાસભ્ય ગુજરાત સરકારનાં કૃષિ મંત્રી છે ફળદુ
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દાને લઈને રહસ્ય અકબંધ છે ત્યારે વધુ એક નામ ચર્ચામાં ઉમેરાયું છે, કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ, તેમજ પ્રલ્હાદ જોશી ગુજરાતમાં પહોંચ્યા છે ત્યારે કેબિનેટમંત્રી આર.સી. ફળદુનું નામ પણ ચર્ચામાં ઉમેરાયું છે મહત્વવું છે કે આજે મળતાનારી ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે તે પહેલા ભાજપના નિરિક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાનાર છે. જે બાદ સત્તાવાર રીતે આજે બપોરે ત્રણ વાગ્ય ધારાસભ્યોના દળની બેઠક મળશે અને નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરાશે.
કેબિનેટ મંત્રી આર.સી.ફળદુનું નામ પણ ચર્ચામાં
મહત્વનું ભાજપના કેન્દ્રિય નિરિક્ષકો ગુજરાતમાં આવતાની સાથે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસ સાથે પણ મહત્વની બેઠળ યોજાઈ હતી. જો કે નવા સી.એમ કોણ હશે તે તો બપોર બાદ જ ખબર પડી શકે છે જો કે નવા મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી પ્રબળ શક્યતાઓ જોર પકડી રહી છે. એવામાં વધુ નામ આર.સી.ફળદુનું પણ સીએમ તરીકે જોવાઈ રહ્યું છે.
નીતિન પટેલનું નામ ચાલી રહ્યું છે આગળ
નવા મુખ્યમંત્રી તરીકે હવે પાટીદાર ચહેરો ગણાતા નાયબ મુખ્યમંત્રીના નામ પર પસંદગીની મોહર મારવામાં આવી શકે છે તેવી પ્રબળ શક્યાતાઓ જોર પકળી રહી છે, એવું પણ મનાઈ રહ્યું છે કે રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યૂલાનો સ્વીકાર કરવામાં આવે જેમાંOBC અને SC-STનેતાઓનો પણ સમાવેશ થઈ શકે છે. આમ જોવામાં આવે તો કોણ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી તેના નામની ચર્ચાઓએ જોર પકડ્યં છે.
ફોર્મ્યૂલામાં OBC કે SC-ST નેતાનો સમાવેશ
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દાને લઈને રહસ્ય અકબંધ છે ત્યારે આજે કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ આજે ગુજરાત આવી પહોંચ્યા છે અને સત્તાવાર રીતે આજે બપોરે મળનારી ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીનું નામ જાહેરાત કરશે.
નવા મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી પ્રબળ શકયતા
આજે વહેલી સવારથી બંને નિરીક્ષકો અમદાવાદ આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે ત્યારે આ બેઠક બાદ બંને નિરીક્ષકો સત્તાવાર રીતે CMના નામની જાહેરાત કરી શકે છે એવું પણ મનાઈ રહ્યું છે અહીં ભાજપના કેન્દ્રિય નિરિક્ષકે નરેન્દ્રિસિંહ તોમરે કહ્યું કે અમે અહીં ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામ પર વધુ ચર્ચા કરવા માટે આવ્યા છીએ. અમે પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીશું.
ગુજરાતના મંત્રી મંડળમાં પણ થઈ શકે છે ફેરફાર
મહત્વનું છે કે જેમ વડાપ્રધાન મોદી ખુદ, કેન્દ્રીય મંત્રી મંડળમાં પરફોર્મન્સ રીવ્યુ કરે છે.તેમ ગુજરાતના રાજકાણમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યારે રૂપાણીના રાજીનામા બાદ હવે 'ગજીફો ચિપાશે'.એટલે રૂપાણી સરકારમાં બિન અસરકારક કામગીરી જે મંત્રીઓના ખાતામાં દેખાશે તેમને મંત્રી મંડળમાંથી બહાર કરવામાં આવશે.જો કે, જ્ઞાતિ-જાતિના સમીકરણ સાચવવા જે મંત્રીઓને સ્થાન અપાયા છે અને વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ સચવાઈ રહે તેવો આશય સરકારનો હશે.પણ,હવે મુખ્યમંત્રી બદલાતા આ સમીકરણો પણ બદલાઈ જશે.