સર્જિકલ સ્ટ્રાઈકને લઈને કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસની સરકારમાં પણ 6 સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. ત્યારે કોંગ્રેસના આ દાવા પર રાજસ્થાનમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મીટૂ-મીટૂ કરવાનું બંધ કરે.
સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ભારે રાજનીતિ થઈ રહી છે. પાકિસ્તાનને પાઠ ભણાવવો ખુબ સારી વાત છે. પરંતુ તેના પર રાજનીતિ કરવી સારી બાબત નથી. પરંતુ આપણા જનેતાઓ તો વોટબેંક માટે કાંઈપણ કરી શકે છે.
ભાજપને નેતાઓ કહે છે કે, તેમની સરકાર આવ્યા બાદ સર્જિક સ્ટ્રાઈક થઈ. તેવામાં હવે કોંગ્રેસના નેતાઓએ પણ દાવો કર્યો છે કે, અમારા શાસનકાળમાં 6 વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ. પરંતુ કોંગ્રેસે ક્યારેય ક્રેડિટ લીધી નથી. તેવામાં કોંગ્રેસના આ દાવાનો પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપતા આકરા વાર કર્યા હતા.
હાલ ચૂંટણીનો માહોલ છે એટલે આ પ્રકારના પ્રહાર થતા રહેશે. પરંતુ આશા રાખીએ કે, આપાણા રાજનેતાઓ સુરક્ષા અને સેનાના મુદ્દે રાજનીતિ ન કરે. કારણ કે, સેના કોઈ એક પક્ષ કે પાર્ટીની નથી. સેના દેશની છે.