હિમાચલમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે વન રેંક વન પેન્શન લાગૂ થઇ છે. જેના લીધે ફોજીભાઇઓના પરિવારોને 60 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. કોંગ્રેસનું ચરિત્ર ખોટા વાયદાઓ કરવાનું છે.
હિમાચલમાં મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
'વન રેંક વન પેન્શન' ની પણ કરી વાત
કોંગ્રેસ રક્ષાની જ નહીં વિકાસની પણ વિરોધી : PM
હિમાચલ પ્રદેશ: સુંદરપ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીએ જનતાને સંબોધિત કરતાં કહ્યું કે 'દેવભૂમીથી મારો જૂનો સંબંધ છે. મેં મંડી, કિન્નોર અને કાંગડાનાં દુર્ગમ સ્થળો પગપાળાં ઓણંગ્યા છે. ઘણીવાર રસ્તામાં સ્થાનિક લોકો સાથે ચા પી અને ગપ્પા મારતો હતો.' મંડીમાં પીએમ મોદીની પહેલી રેલી પણ થઇ.
અમે 'વન રેંક વન પેન્શન' લાગૂ પાડ્યો- પીએમ
પીએમએ સંબોધન કરતાં કહ્યું કે 'અમે 'વન રેંક વન પેન્શન' લાગૂ પાડ્યો છે. ફોજી પરિવારો માટે અમે 60 હજાર કરોડ રૂપિયા ફાળવ્યાં છે. કોંગ્રેસનું ચરિત્ર ખોટા વાયદાઓ કરવાનું છે. તે તો 'વન રેંક વન પેન્શન' પર પણ ઠગી શકે છે. આ ચૂંટણી પર પણ તેઓ અનેક જૂઠાં વાયદાઓ કરશે તેના પર વિશ્વાસ કરજો નહીં.'
મોદીએ કોંગ્રેસ પર લગાવ્યાં આરોપ
પીએમ મોદીએ આરોપ લગાવતાં કહ્યું કે કોંગ્રેસે દેશમાં સૌથી પહેલો ગફલો રક્ષા ક્ષેત્રમાં જ કર્યો હતો. રક્ષાની યોજનાઓમાં ખુબ દલાલી કરી હતી. હજારો-કરોડોનાં ઘોટાળા કર્યાં હતાં. કોંગ્રેસ ક્યારેય નહોતી ઇચ્છતી કે દેશ રક્ષાનાં હથિયાર- સામાનથી આત્મનિર્ભર બને. તે સેના માટેની દરેક ખરીદીમાં કમીશન ખાવા ઇચ્છતી હતી. પોતાના નેતાઓની તિજોરી ભરવા ઇચ્છતી હતી. તેમણે હંમેશા હથિયારો ખરીદવામાં વિલંબ કર્યો છે. જેનું સૌથી મોટું નુક્સાન હિમાચલની વીરમાતાઓને થયું છે.
કોંગ્રેસે હિમાચલને પ્રાથમિકતા ન આપી : PM
નરેન્દ્ર મોદીએ આરોપ લગાવતાં કહ્યું કે કોંગ્રેસે હિમાચલનાં વિકાસને પ્રાથમિકતા આપી નહીં. હિમાચલમાં સ્થિર સરકારની જરૂર છે. આજે દેશમાં આત્મનિર્ભર થવા માટેનાં આંદોલન ચાલી રહ્યાં છે. હથિયાર બનાવવાનાં મુદાને ભાર આપવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ રક્ષાની જ નહીં વિકાસની પણ વિરોધી છે. 2014માં તમે મને અવસર આપ્યો તો હું ઇચ્છતો હતો કે હિમાચલમાં વિકાસની યોજના ઝડપથી આગળ વધે પરંતુ ત્યારે અહીં કોંગ્રેસની સરકાર હતી કે જે કેન્દ્રમાંથી આવેલી યોજનાઓને લાગૂ નહોતી થવા દેતી.
કોંગ્રેસે 3 વર્ષમાં માત્ર 15 ઘર બનાવ્યાં છે : મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે દિલ્હીથી પૈસા મોકલતો હતો, તેઓ વિરોધ કરવા બેસી જતાં હતાં. અમે પીએમ શહેરી આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે પૈસા ફાળવ્યાં હતાં. તેમનું કામ હતું તે પૈસાનો ખર્ચ કરવાનું, પરંતુ 14થી 17 એટલે કે 3 વર્ષમાં રાજ્યમાં માત્ર 15 ઘર બન્યાં છે. પરંતુ જેવી બીજેપી સરકાર બની 10 હજાર મકાનનું કામ શરૂ થઇ ગયું.